ભાજપના નેતા રાજુ ઝાની હત્યા, ધડાધડ વરસી ગોળીઓ, બે ઇજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા રાજૂ ઝાની હત્યા થઈ ગઈ છે. તેઓ કોલકાતા જઈ રહ્યા હતા, ત્યારે બદમાશોએ શક્તિગઢ વિસ્તારના અમરામાં એક મીઠાઈની દુકાન બહાર પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો થઈ ગયો. રાજૂ ઝા જ્યારે દુકાન બહાર પોતાની કારની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક કારમાં 2 બદમાશ ત્યાં પહોંચ્યા. પોલીસના જણાવ્યા મુજબ, એક આરોપીએ રૉડથી તેમની કારની કાચ તોડી દીધી, જ્યારે બીજાએ તેમના પર ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી દીધી.

પોલીસના જણાવ્યા મુજબ, તેમના પર એટલી ગોળીઓ વરસાવવામાં આવી કે ઘટનાસ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. તેમની સાથે ઉપસ્થિત અન્ય 2 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. રાજૂ ઝા હૉટલ વ્યવસ્થા સાથે જોડાયેલા હતા અને ગત વિધાનસભા અગાઉ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેમની કોયલા તસ્કરી કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. હત્યાકાંડ બાદ જ આરોપી ફરાર છે. પોલીસ જણાવ્યું કે, ઇજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સીનિયર પોલીસ અધિકારીઓએ ઘટનસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે જણાવ્યું કે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ગાડીમાં 4 લોકો હતા. પોલીસનું કહેવું છે કે, કેસની તપાસ કરવામાં આવી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વ્યાવસાયિક શત્રુતાના કારણે તેમની હત્યા કરી દેવાં આવી. ઉલ્લેખનીય છે કે, રજૂ ઝા પર આસનસોલ-દુર્ગાપુર સિવાય બાકુડા પોલીસ સ્ટેશનમાં પણ કોયલા તસ્કરીના ઘણા કેસ નોંધાયેલા હતા. શરૂઆતી દિવસોમાં રાજૂ ઝા રાનીગંજ વિસ્તારમાં સાઇકલ ચોરીમાં સામેલ હતા. પછી એ ક્ષેત્રમાં ગેરકાયદેસર કોયલના બિઝનેસમાં સામેલ થઈ ગયા.

રાજુ ઝાએ કોયલા માફિયાઓ સાથે હાથ મળાવી લીધા. વામ શાસન દરમિયાન રાજૂ  ઝા એક નાનકડા સાઇકલ ચોરથી કુખ્યાત માફિયા બની ગયા. તેમણે આ અવધિ દરમિયાન ગેરકાયદેસર કોયલા વેપાર સિન્ડિકેટ લોન્ચ કર્યું હતું. કુખ્યાત કોયલા માફિયા રાજૂ ઝાનું સામ્રાજ્ય ફળ્યું-ફૂલ્યું. આસનસોલ-દુર્ગાપુર વિકાસ મંડળમાં રાજૂ ઝા એક બાદ એક જમીનના માલિક બનતા ગયા. રાજૂ ઝા દ્વારા આસનસોલ અને દુર્ગાપુરથી કોલકાતાના ધર્મતલા અને કરુણામયી માર્ગો પર પહેલી AC વોલ્વો સેવા શરૂ આકરી હતી. પછી તેમણે હોટલ વ્યવસાયમાં રોકાણ કર્યું, પરંતુ રાજ્યમાં રાજનૈતિક બદલાવોએ કેરકાયદેસર કોયલાના બિઝનેસને કાબૂમાં કરી લીધો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.