CM ગેહલોતના મતે BJP નેતાઓ અને મંત્રીઓએ નીતિન ગડકરી પાસેથી આ શીખવા જેવું છે

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના પ્રતાપગઢમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 નો શિલાન્યાસ કર્યો અને એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન મુખ્યમંત્રી ગેહલોતે ગડકરીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ગડકરીની જેમ ભાજપના અન્ય નેતાઓએ પણ પાર્ટીના અન્ય નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોની વાત સાંભળવી જોઈએ.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, રાજસ્થાનમા જે રીતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે યોજના બનાવીને સાથે તેનો અમલ પણ કર્યો છે તે સરાહનીય છે. મુખ્યમંત્રી ગેહલોતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમણે એક વખત ભાષણમાં એવું કીધુ હતું કે નીતિન ગડકરી એવા નેતા છે જે ધારાસભ્યો હોય, સાંસદો હોય કે અન્ય નેતા હોય બધાની વાત સાંભળે છે એટલું જ નહીં, પરંતુ તેની પર અમલ પણ કરે છે.

ગેહલોતે આગળ કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાત સાથે સંપૂર્ણ સમંત છું. તેમણે કહ્યું કે હું તો મંત્રીને વિનંતી કરીશ કે તેઓ પોતાના મિત્રોને પણ કહે તે નીતિન ગડકરી જે રીતે બધી પાર્ટીઓના નેતાની વાત સાંભળે છે એ રીતે તેઓ પણ બધાની વાત સાંભળે તો રાજ્યોમાં ઝડપથી કામ થઇ શકશે.

મુખ્યમંત્રી ગેહલોતે નીતિન ગડકરીનો આભાર માન્યો અને કહ્યું કે મારા પગમાં ફ્રેક્ચર છે, નહીંતર હું પોતે આ કાર્યક્રમમાં ભાગ લેવા પ્રતાપગઢ પહોંચ્યો હોત, પરંતુ મજબૂરીમાં મારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવું પડ્યું. CM ગેહલોતે કહ્યું કે રાજસ્થાનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા પછી જ શક્ય બનશે કે રાજસ્થાનને આપણે વધુને વધુ નેશનલ હાઈવે કેવી રીતે આપી શકાય. એની જરૂર એટલા માટે પણ છે રે રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિ અલગ  છે.રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજ્ય છે. તેમાં જે રીતે નેશનલ હાઈવે બનાવવામાં આવી રહ્યા છે તે જોતા એક વાત કહી શકાય કે એક સમય હતો જ્યારે રાજસ્થાન ગુજરાત કરતાં ઘણું પાછળ હતું, આજે નેશનલ હાઈવે બનવાના અભિયાન સાથે અમે લોકોએ સ્ટેટ હાઇવે બનાવવામાં કોઇ કસર છોડી નથી.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જીલ્લા સ્તરે પણ અમે રસ્તાઓ બનાવી રહ્યા છીએ અને જ્યાં 250ની વસ્તી છે ત્યાં પણ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાજસ્થાન રસ્તાઓની બાબતમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે. આ પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાતો માટે નીતિન ગડકરીનો આભાર માન્યો અને કહ્યું કે આ જાહેરાતો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં 1.32 લાખ કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક  ફેલાવવામાં આવ્યું છે, જેમાંથી 61 હજાર કિલોમીટર પૂર્ણ થઈ ચૂક્યું છે અને 71 હજાર કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે. તેમાં હાઇવે અને ROB પણ છે. આ રીતે રાજસ્થાનમાં રસ્તાઓનું જે નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે તે જોતાં ભવિષ્યમાં કહી શકાય કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ડિસ્ટ્રિક્ટ હાઈવે સહિત રાજસ્થાનના રસ્તાઓ દેશમાં મોખરે રહેશે અને તેના વિશે કોઇ ફરિયાદ નહીં રહે. સાથેજ ગેહલોતે બાંદીકુઇથી જયપુર અને જોધપુરથી પચપદરાને જોડતા રસ્તાની પણ માંગ કરી છે. તેમણે કહ્યું કે જો આ યોજના સાકાર થશે તો રાજસ્થાનના લોકોને લાભ મળશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.