
કર્ણાટકના પૂર્વ CM અને જનતા દળ (સેક્યુલર) એટલે કે JD(S)ના નેતા HD કુમારસ્વામીએ કહ્યું છે કે, રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં તેઓ તેમની શરતો પૂરી કરનાર પાર્ટીને સમર્થન આપશે. કુમારસ્વામીએ કહ્યું કે તેમની પાર્ટીને 50 સીટો મળશે.
JD(S)ના નંબર બે નેતા કુમારસ્વામીએ કહ્યું કે, તેમની પાસે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ, BJP અથવા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે 'શરતો' છે. શરત એ છે કે, કુમારસ્વામીને CM બનાવવામાં આવે અને તેમના પક્ષના નેતાઓને જળ સંસાધનો, વીજળી અને જાહેર કાર્યો સહિતના મુખ્ય પદો આપવામાં આવે.
JD(S)નો કોંગ્રેસ અને BJP બંને પક્ષોને ટેકો આપવાનો ઈતિહાસ રહ્યો છે. તેણે 2006માં BJP સાથે જોડાણ કર્યું, ત્યારબાદ કુમારસ્વામી પ્રથમ વખત CM બન્યા હતા. ત્યારબાદ પાર્ટીએ 2018માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ત્યારબાદ કુમારસ્વામી બીજી વખત CM બન્યા હતા.
JD(S)ના રાષ્ટ્રીય પ્રવક્તા તનવીર અહેમદનું કહેવું છે કે, અમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે, અમે કોની સાથે સરકાર બનાવવાના છીએ. જનતા માટે યોગ્ય સમય આવશે ત્યારે અમે તેની જાહેરાત કરીશું.
કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયંગ ખડગેએ કહ્યું કે, અમે 120 સીટો જીતવાના છીએ. ત્રિશંકુ સરકારનો સવાલ જ નથી આવતો. અમને વિશ્વાસ છે કે અમે અમારા દમ પર સરકાર બનાવીશું.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ DK શિવકુમારે કહ્યું કે, એક્ઝિટ પોલની પોતાની થિયરી છે. અમે રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. હું JD(S) વિશે જાણતો નથી, તેમને તેમનો નિર્ણય લેવા દો. મારી પાસે કોઈ બેકઅપ પ્લાન નથી. મારી એક જ યોજના છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે એટલે કે 13મી મેના રોજ જાહેર કરવામાં આવશે. તે પહેલા કોંગ્રેસ અને BJP બંનેએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
BJPએ JDSનો સંપર્ક કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પાર્ટી સ્પષ્ટ જનાદેશ મળવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં BJPના નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું હતું કે, 'ગઠબંધનનો કોઈ પ્રશ્ન જ નથી, BJPએ JDSનો સંપર્ક કર્યો નથી. અમને 120 બેઠકો મળવાની ખાતરી છે. ગઈકાલે ગ્રાઉન્ડ લેવલે અમારા કાર્યકરો પાસેથી માહિતી મેળવ્યા બાદ અમે 120 સીટો પર પહોંચી ગયા છીએ.
#WATCH | Exit polls have their own theory. We don't go by those samples, my sample size is too high and in that, we will have a comfortable majority. I do not know about JD(S), let them take their own call. I don't have any backup plan, my only plan is that Congress party will… pic.twitter.com/agJ551kIyb
— ANI (@ANI) May 12, 2023
જ્યારે BJPના ઇનકાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે JDSએ પુનરોચ્ચાર કર્યો કે પાર્ટી સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. તનવીર અહેમદે કહ્યું કે હા, બંને પક્ષો (BJP અને કોંગ્રેસ)એ અમારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. JDS હવે એવી સ્થિતિમાં છે કે, પક્ષો આજે અમારો સંપર્ક કરવા માંગે છે.
#WATCH | We are going to pass 120 seats. There is no question of a hung government, we are supremely confident that we will form the government on our own: Congress MLA Priyank Kharge pic.twitter.com/CJTLFDv3se
— ANI (@ANI) May 12, 2023
તેમણે કહ્યું કે કર્ણાટકના લોકો ઈચ્છે છે કે, રાજ્યના ભલા માટે અમે બંને રાષ્ટ્રીય પક્ષો પર નજર રાખીએ. પરંતુ, મને નથી લાગતું કે પ્રાદેશિક પક્ષો કર્ણાટકના વિકાસ માટે કામ કરવા માંગતા ન હોય તેવું કોઈ કારણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp