પૂર્વ આર્મી ચીફના ભારત જોડો યાત્રામાં શામેલ થવા પર ભાજપે સવાલ ઉઠાવ્યા

ભારત જોડો યાત્રામાં ભાગ લેવા પર પૂર્વ સેના પ્રમુખ જનરલ દીપક કપૂરની આલોચના કરવા માટે કોંગ્રેસે સોમવારે ભાજપ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ સાથે જ ભાજપ પર સેનાના બહાદુરોને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. જનરલ કપૂર અને રક્ષા સેવાઓના કેટલાક સેવાનિવૃત્ત શીર્ષ અધિકારી રવિવારે રાહુલ ગાંધીના નેતૃત્વ વાળી ભારત જોડો યાત્રામાં શામેલ થયા હતા. યાત્રા વર્તમાનમાં હરિયાણા થઇને પસાર થઇ રહી છે.

હરિયાણામાં યાત્રામાં રાહુલ ગાંધીની સાથે જનરલ કપૂરની એક તસવીર ટ્વીટ કરતા, ભાજપે IT વિભાગના પ્રમુખ અમિત માલિવાયએ લખ્યું હતું કે, પૂર્વ સેના પ્રમુખ જનરલ દિપક કપૂર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં શામેલ થયા છે. કપૂરને સોનાના અન્ય વરિષ્ઠ અધિકારો સાથે આદર્શ ગોટાળામાં આરોપિત કરવામાં આવ્યા હતા. ભાજપ નેતાએ રવિવારે કહ્યું કે, તપાસ સમિતિની સલાહ હતી કે, અધિકારીઓને કોઇ સરકારી પદ પર આસીન થવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.

માલવીય પર નિશાનો સાધતા, કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, જનરલ કપૂર, 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના એક દિગ્ગજ, PVSM, AVSM, VSM અને સેના પદકના પ્રાપ્ત કર્તા અન્ય પુરસ્કારોની સાથે. તેમણે 1667થી 2010 સુધી ચાર દાયકાઓ સુધી આપણા દેશની સેવા કરી છે. આપણ બહાદુર જવાનોને બદનામ કરવા માટે તેમને પોતાના પર શરમ આવવી જોઇએ. તમારા પર અને તમારા ખેદજનક અસ્તિત્વ પર દયા આવે છે.

સુપ્રિયા શ્રીનેતની ટ્વીટને ટેગ કરતા, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોમવારે ટ્વીટ કરી કે, શું તમે વાસ્તવમાં આવા બીમાર અને ભ્રષ્ટ મગજથી શું સારી આશા રાખી શકો, માલવીયની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, જ્યારે તેમણે જનરલ દીપક કપૂર અને ડો. મનમોહન સિંહ પર 2017માં ગુજરાતમાં તેમને હરાવવા માટે ISI સાથે ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ ટિપ્પણીઓ માટે સદનમાં જેટલીએ કોર્ટમાં માફી પણ માગવી પડી હતી.

આ પહેલા કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પૂર્વ સેના પ્રમુખ જનરલ દીપક કપૂર, સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલ આર. કે. હુડ્ડા, સેવાનિવૃત્ત એર માર્શલ પી. એસ. ભંગૂ, સેવાનિવૃત્ત મેજર જનરલ ધર્મેન્દ્ર સિંહ, સેવાનિવૃત્ત કર્નલ જિતેન્દ્ર ગિલ, સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ ડી.ડી.એસ. સંધૂ, સેવા નિવૃત્ત કર્નલ રોહિત ચૌધરી રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રાં શામેલ થયા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.