સોનિયા-રાહુલ ઈચ્છે તો 2024મા 100 સીટો પર સમેટાઇ જશે ભાજપ: CM નીતિશ કુમાર

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર સતત વિપક્ષી એકજૂથતાની વકીલાત કરી રહ્યા છે. તેના માટે તેમણે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે ઘણી બેઠક કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે લડવાની તેમને અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ અગાઉ તેઓ રાહુલ ગાંધીને પણ મળવા માટે દિલ્હી તેમના આવાસ પર પહોંચ્યા હતા.

નીતિશ કુમારે ફરી એક વખત ભાજપ વિરોધી ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હવે બૉલ કોંગ્રેસના પક્ષમાં નાખી દીધો છે અને સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને વિપક્ષી એકતાની પહેલ કરવા માટે કહ્યું છે. તેમણે પટનામાં આયોજિત CPI-MLના રાષ્ટ્રીય કન્વેન્શનને સંબોધિત કરતા કહ્યું કે, મેન દિલ્હી જઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે કોંગ્રેસે આગળનો નિર્ણય લેવો જોઈએ. જો આપણે બધા મળી જઈએ તો ભાજપ 100 કરતા પણ ઓછી સીટો જીતી શકશે. એટલે કોંગ્રેસે વિપક્ષી એકજૂથતામાં મોડું ન કરવું જોઈએ.

નીતિશ કુમાર સાથે જ તેજસ્વી યાદવે પણ કહ્યું કે, કોંગ્રેસ રિજનલ પાર્ટીઓને ડ્રાઇવિંગ સીટ પર આવવા દે. જ્યાં ભાજપ સાથે સીધી સ્પર્ધા છે ત્યાં કોંગ્રેસ ટક્કર લે. કોંગ્રેસે હવે મોડું ન કરવું જોઈએ. તો તેજસ્વી યાદવે આ દરમિયાન ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ સાથે રહેવા પર તમારા પર ગમે તેટલો ડાઘ લાગ્યો હશે, વોશિંગ મશનીની અંદર સાફ કરી દેવામાં આવશે. તમે બધા આલોકો દેશના સંવિધાનને બચાવવા માટે લડી રહ્યા છો એટલે અમે તમારો આભાર માનીએ છીએ.

આજે દેશનો માહોલ અને પરિસ્થિતિ એવી છે કે ભાજપ વિરુદ્ધ બોલવા પર તમારા પર છાપેમારી કરવામાં આવશે, ચરિત્ર હનન કરવામાં આવશે, છબી બગાડવામાં આવશે કે જેલ મોકલવામાં આવશે અને જો તમે ભાજપ સાથે રહેશો તો તમે હરિશ્ચંદ્ર કહેવાશો. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના નિવેદનોને લઈને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, જો તમે ઈચ્છો છો તે જ કોંગ્રેસ પણ ઈચ્છે છે. ક્યારેક ક્યારેક પ્રેમમાં પણ એક સમસ્યા આવી જાય છે. પહેલા I Love You કોણન કહેશે. માનું છું કે વિપક્ષી એકજૂથતા જલદી થવી જોઈએ.

નીતિશ કુમારના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બિહારમાં ઉધારીના તેલથી પોતાના દીવા પ્રકાશિત કરી રહ્યા છે, તેઓ શું ભારતને નવો દિવસ દેખાડશે. 17 વર્ષમાં બિહારનો વિકાસ થયો નથી અને નીતિશજી એક મહિનામાં સમાધાન શોધી રહ્યા છે. તેમના શાસનથી રાજ્ય ઉપર આવી શક્યું નથી અને વડાપ્રધાન માટે એકજૂથતાની શોધ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.