AAPનો દાવો- 'BJPએ સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલેલા સારું થયું...',

On

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ હુમલા કેસ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને BJPનું ષડયંત્ર ગણાવ્યું. આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ એપોઈન્ટમેન્ટ વગર CM આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, સારું થયું તેઓ ત્યાં ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

AAP નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્વાતિ માલીવાલની સાથે BJP પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારથી CM અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી BJP ગભરાઈ ગઈ છે. આ મૂંઝવણ હેઠળ તેમણે એક કાવતરું ઘડી કાઢ્યું હતું. આ કાવતરા અંતર્ગત સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલવામાં આવ્યા હતા.

તેમનો હેતુ CM કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતિ આ ષડયંત્રનો એક ચહેરો હતી, સ્વાતિ માલીવાલ 13 મેના રોજ CM આવાસ પર પહોંચી હતી, તેમનો ઈરાદો આરોપ લગાવવાનો હતો. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, પરંતુ તેઓ ત્યાં હાજર ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

13 મેની આખી ઘટના મીડિયાને સંભળાવતા આતિશીએ કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં તેણે કહ્યું છે કે, તેને નિર્દયતાથી મારવામાં આવી હતી. તેઓનું માથું ટેબલ સાથે અથડાયું અને તેમનું માથું ફાટી ગયું, તેમના કપડા ફાટી ગયા, પરંતુ વિડિયોમાં તદ્દન ઊલટું સત્ય છે. સ્વાતિ માલીવાલ ઊંચા અવાજમાં વિભવ કુમારને ધમકી આપી રહી છે. તેના કપડા ફાટેલા નથી કે તેના માથામાં ઈજા થઈ નથી. આજના વીડિયોએ સ્વાતિ માલીવાલના આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા છે. વિભવ કુમારે પોતાની ફરિયાદમાં 13 મેની તમામ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati