ભારતનો GDP 7.2% રહેતા, BJPનો રાજન પર હુમલો, કહ્યું- તેઓ નિરાશાવાદી...

બુધવારે જાહેર સરકારી આંકડાઓ પરથી જાણકારી મળે છે કે, નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરથી વધી. એવામાં BJPએ રાહુલ ગાંધી અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની એ વાતચીત પર નિશાનો સાધ્યો છે, જેમા પૂર્વ RBI ગવર્નરે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષે 5%નો વૃદ્ધિ દર હાંસલ કરી લે તો ભાગ્યશાળી હશે. હવે BJPએ રઘુરામ રાજનને નિરાશાવાદી કહ્યા છે. BJP નેતા અમિત માલવીયે ટ્વિટ કર્યું, તથ્ય એ છે કે, ભારતે નાણાકીય વર્ષ 2022-23માં GDPમાં 7.2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તેમણે લખ્યું, કોંગ્રેસના સમર્થક ગંદકી માંગનારી માખીઓ જેવા છે. તેમને એક સ્વચ્છ જગ્યા પણ આપી દો તો પણ તેઓ ગંદકી જ શોધશે.

રઘુરામ રાજનની નિરાશાજનક ભવિષ્યવાણી માટે તેમના પર નિશાનો સાધતા અમિત માલવીયએ લખ્યું, તેઓ સ્વાભાવિકરૂપે જ દુઃખી છે, તેઓ એક અબજ લોકોને ભૂખ્યા જોવા માંગે છે જેથી, તેઓ પોતાની ઉત્તમ દારૂ પીતા ભારતની ગરીબી પર બોલી શકે. રઘુરામ રાજન અને રાહુલ ગાંધીની વચ્ચે વાતચીત ડિસેમ્બર 2022માં થઈ હતી, જ્યારે રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા પર હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે રઘુરામ રાજન પણ રાજસ્થાન પહોંચ્યા હતા. તેમણે આર્થિક વિકાસને લઇને રાહુલ ગાંધીના સવાલોનો જવાબ આપતા કહ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિ અને રશિયા- યૂક્રેન યુદ્ધના કરણે આ વર્ષ ભારત અને દુનિયા માટે પડકારજનક રહેશે. તેમણે આગળ કહ્યું હતું કે, તેના કારણે ભારતની ઇકોનોમી માટે મુશ્કેલીઓ ઊભી થશે.

BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રઘુરામ રાજનને જેમ્સ બોન્ડ રાજન કહીને સંબોધ્યા હતા અને તેમના વિશે વાત કરતા કહ્યું હતું કે, સેલિબ્રિટી અર્થશાસ્ત્રીના રૂપમાં રાજકીય મતલબ વાળા વૂડૂ અર્થશાસ્ત્રીની પોતાની મર્યાદાઓ છે. 2022માં રાહુલ ગાંધીની સાથે પોતાની વાતચીતમાં રઘુરામ રાજને કહ્યું હતું કે, આવતું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે તેમજ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે હજુ વધુ મુશ્કેલીભર્યું હશે. રઘુરામ રાજને કહ્યું હતું કે, ભારત 5% નો વિકાસ દર હાંસલ કરવા માટે સંઘર્ષ કરશે કારણ કે, પ્રમુખ વ્યાજ દરો વધ્યા છે અને નિકાસ ધીમો થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે આવતા વર્ષે 5 ટકાના દરથી વૃદ્ધિ કરી શકીએ તો આપણે ભાગ્યશાળી હોઈશું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.