ત્રિપુરામાં ભાજપે બીજી વાર સત્તા તો મેળવી, પરંતુ વોટ શેર અને સીટ ઘટી

ત્રિપુરા વિધાનસભા 2023ની ચૂંટણીના 2 માર્ચે જાહેર થયેલા પરિણામમાં ભાજપે લગાતાર બીજી વખત જીત મેળવી છે. આ વખતે ચૂંટણીના પરિણામોમાં ભાજપે બહુમતી તો મેળવી છે, પરંતુ કેટલાંક પાસાઓ એવા પણ રહ્યા જેમાં ભાજપે પછડાટ ખાધી છે. અગાઉની ત્રિપુરા વિધાનસભાની સરખામણીએ આ વખતે ભાજપની બેઠકો ઘટી છે અને સાથે વોટ શેર અને એવરેજ જીત માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

ત્રિપુરાની 60 સભ્યો વાળી વિધાનસભામાં  વર્ષ 2018માં ભાજપે 4,606ના એવરેજ જીતના અંતર સાથે 35 બેઠકો પર જીત મેળવી હતી અને તે વખતે ભાજપનો વોટ શેર 43.59 ટકા હતો. જ્યારે વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 32 બેઠકો મળી છે, મતલબ કે 3 બેઠકોનું ભાજપને નુકશાન થયું છે. બીજું કે એવરેજ જીતનું અંતર પણ 3458 રહ્યું. વોટ શેર પણ 38.97 ટકા રહ્યો જે  વર્ષ 2018માં 43.59 ટકા હતો.

જો કે, ભાજપ 2023 માં 21 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી જ્યારે 2018 માં 16 બેઠકો હતી, જે ચોક્કસપણે પાર્ટીના પાયાના વિસ્તરણને દર્શાવે છે. ભાજપના સહયોગી ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) માત્ર એક સીટ જીતી શકી હતી. જ્યારે IPFTને ગત ચૂંટણીમાં આઠ બેઠકો મળી હતી. આ રીતે આ વખતે ભાજપ-IPFT ગઠબંધનની 10 બેઠકો ઘટી છે. ભાજપે 2018માં 35ને બદલે 32 બેઠકો મેળવી હતી એટલે એ 3 બેઠકોની લોસ અને IPFTની 7 સીટોની લોસ એમ કુલ 10 સીટનું નુકશાન થયું.

ત્રિપુરા વિધાનસભા 2023માં 32 બેઠકોમાંથી, ભાજપે ડાબેરી મોરચા સામે 18 (CPIM સામે 16, AIFB અને RSP સામે એક-એક), કોંગ્રેસ સામે 7, ટીપરા મોથા સામે 6 અને એક અપક્ષ સામે 1 બેઠક જીતી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપની 36 બેઠકોમાંથી 33 સીપીઆઈ(એમ) સામે અને 1 એઆઈએફબી, આઈપીએફટી અને આરએસપી સામે ગઈ હતી. ભાજપે પાછળથી IPFT સાથે ગઠબંધન કર્યું. IPFTએ આ વખતે ભાજપ સાથે ચૂંટણી પૂર્વે જોડાણ કર્યું હતું.

ટીપરામોથાએ ભાજપ સામે તેની મોટાભાગની બેઠકો જીતી હતી. બંને પક્ષો વચ્ચે 13 બેઠકો પર સીધી લડાઈ જોવા મળી હતી જેમાંથી સાત બેઠકો ટીપરા મોથાએ જીતી હતી. ટિપરા મોથાએ પણ ત્રિપુરામાં તમામ પક્ષોના સૌથી વધુ સરેરાશ વિજય માર્જિન સાથે 11,668 મતો નોંધાવ્યા હતા. CPI(M) જેણે 11 બેઠકો જીતી હતી અને તેની સાથી કોંગ્રેસે 3 બેઠકો મેળવી હતી, તેણે ભાજપ સામે તેમની તમામ બેઠકો જીતી હતી. જે બેઠકો પર ભાજપ અને CPI (M) વચ્ચે સીધો મુકાબલો હતો જેમાં ભાજપે સૌથી વધારે સીટ જીતી. 27 સીટોમાંથી ભાજપે 16 સીટ પર જીત હાંસલ કરી હતી.

ત્રિપુરામાં આ વખતે કુલ 10 સીટ એવી હતી જેમાં ભાજપ 1,000થી ઓછા માર્જિનથી જીતી હતી.જ્યારે 13 સીટ એવી હતી જેમાં ભાજપનું માર્જિન 1,000થી 2,000 મતોની વચ્ચે હતું. 8 સીટ પર 2000થી 3,000 મતોથી જીત મેળવી હતી. 2 સીટ પર 3,000થી 4,000 મતો વચ્ચે અંતર હતું. 8 સીટ પર 4,000થી 5,000 વચ્ચેનું અંતર હતું.જ્યારે 19 સીટો પર 5,000થી વધારેની લીડ ભાજપે મેળવી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.