પ્રયાગરાજમાં અતીકના વકીલની ગલીમાં બોમ્બ ફેંકી ડર ફેલાવવાનું ષડયંત્ર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની કટરા ગોબર ગલીમાં એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ ગલીમાં માફિયા અતીક એહમદનો વકીલ રહે છે. ઘટના બાદથી જ લોકોમાં ડરનો માહોલ છે. હાલ બોમ્બથી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. કર્નલગંજ પોલીસ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ ડર ફેલાવવાના ઉદ્દેશ્યથી ફેંકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, તેમને કટરા ગોબર ગલીમાં બોમ્બ ફેંકવાની સૂચના મળી હતી. ઘટના સ્થળ પર પહોંચવા પર જાણકારી મળી છે કે, બે પક્ષોની વચ્ચે વિવાદ થયો હતો, દરમિયાન એક પક્ષ પર બોમ્બથી હુમલો કર્યો પરંતુ કોઈને ઈજા નથી આવી. આ હુમલો દયાશંકર મિશ્રના ઘરની સામે ગલીમાં થયો. પરંતુ, અફવા ફેલાઇ ગઈ કે હુમલો દયાશંકર મિશ્રના ઘર પર થયો છે. આ સૂચના સંપૂર્ણરીતે ખોટી અને ભ્રામક છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રયાગરાજના પોલીસ કમિશનરે ટ્વિટ કરીને જણાવ્યું કે, કટરાની ગોબર ગલીમાં બોમ્બ ફેંકવાની ઘટના બે પક્ષો વચ્ચે આપસી વિવાદના કારણે થઈ. અતીક એહમદના વકીલના ઘર પર હુમલાની વાત સંપૂર્ણરીતે ખોટી છે.

માફિયા અતીક એહમદની પત્ની શાઇસ્તા પરવીન પર ચાર ક્રિમિનલ કેસ દાખલ છે, તે ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી છે. હત્યા બાદથી શાઇસ્તા પરવીન ફરાર છે. આથી તેને શોધવા પોલીસ છાપા મારી રહી છે. શાઇસ્તા અશરફના સાસરા મારિયાડીહમાં હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણે શાઇસ્તાની શોધમાં પ્રયાગરાજ પોલીસ છાપા મારી રહી છે. પોલીસે શાઇસ્તા પર 50 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું છે. મારિયાડીહ ગામમાં ભારે સંખ્યામાં પોલીસ તહેનાત છે. પોલીસને આશંકા છે કે, શાઇસ્તા પ્રયાગરાજના મારિયાડીહ ગામમાં સંતાઇ છે.

માફિયા અતીક એહમદ અને તેના ભાઈ અશરફ એહમદની 15 એપ્રિલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોરોએ આ હુમલો એ સમયે કર્યો હતો, જ્યારે પોલીસ બંનેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈને આવી હતી. એ જ સમયે પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોના નામ અરૂણ મૌર્ય, સની પુરાને અને લવલેશ તિવારી છે. ત્રણેય હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્રણેયે પોલીસની હાજરીમાં મીડિયાની સામે અતીક અને અશરફને ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.