બહેનની સળગતી ચિતામાં કૂદી ગયો ભાઈ, પછી સ્મશાનમાં મચી ગઈ અફરાતફરી

રાજસ્થાનનાઆ ભીલવાડામાં બહેનની સળગતી ચિતા પર ભાઈ કૂદી ગયો. ઇમરજન્સીમાં ત્યાં ઉપસ્થિત લોકોએ તેને ચિતામાંથી બહાર કાઢ્યો અને ત્યારબાદ નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેનું આખું શરીર સળગી ગયું છે. અંતિમ સંસ્કાર દરમિયાન સ્મશાનમાં ઉપસ્થિત પરિવારજનોની આંખો ભાઈ બહેનના આ અતૂટ પ્રેમને જોતા ભીની થઈ ગઈ. આ ઘટના બાગોર પોલીસ સ્ટેશનના માંકિયાસ ગામની છે.

રિપોર્ટ્સ મુજબ, અહીંની રહેવાસી મીનાનું કોઈક કારણે મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેના પરિવારજનો અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ ગયા. પૂરા રીત-રિવાજથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ચિતાને આગ લગાવી દેવામાં આવી. ત્યારબાદ બધા લોકો થોડે દૂર જઈને બેસી ગયા. કેટલાક લોકો દુઃખી મનથી ત્યાં ઊભા રહેલા એક-બીજાનું મનોબળ વધારી રહ્યા હતા. મૃતિકાનો પિતરાઇ ભાઈ સુખદેવ ભીલ પણ ત્યાં ચિતા પાસે બેઠો હતો.

તે બધાની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ત્યારબાદ તેને ન જાણે શું થયું. તે અચાનક દોડીને પિતરાઇ બહેનની સળગતી ચિતામાં કૂદી ગયો. ઝડપથી પરિવારજનોએ સુખદેવને ખૂબ મુશ્કેલીથી ચિતામાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ તેને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. સુખદેવની સારવાર કરનારા ડૉક્ટરે કહ્યું કે, તે 100 ટકા સળગી ચૂક્યો છે, તેની સ્થિતિ ગંભીર છે.

અંતિમ સંસ્કારમાં પહોંચેલા પરિવારજન હીરા ભીલે જણાવ્યું કે, સુખદેવ પોતાની પિતરાઇ બહેન મીનાને ખૂબ પ્રેમ કરતો હતો. મીનાના મોત બાદ તે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. મોત બાદ પણ તે મીનાને એકલો છોડવા માગતો નહોતો. કદાચ તે પોતાની જિંદગી સમાપ્ત કરવા માટે જ મીનાની સળગતી ચિતામાં કૂદી ગયો. લોકોનું કહેવું છે કે બહેનના મોતનો આઘાત સહન ન કરી શક્યો અને આ ખતરનાક પગલું ઉઠાવી લીધું. એક તરફ લોકો બહેનની સળગતી ચિતા પર ભાઈના કૂદવાની ઘટનાને લઈને આઘાતમાં છે તો આજના સમયમાં આ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની પણ ચર્ચા છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.