લગ્નમાં મોત થયું હતું, હાઇકોર્ટના આદેશ પર પોલીસે શબને કબરમાંથી બહાર કાઢ્યું

રાંચીમાં પોતાના ભાઇના 20 દિવસ પહૈલા થયેલા મોતમાં હત્યાની આશંકા દર્શાવીને બહેને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા તો હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો અને પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને તપાસ શરૂ કરી દીધી છે.

ઝારખંડના રાંચીમાં તાજેતરમાં એક યુવકનું લગ્ન સમારોહમાં મોત થયું હતું, એ પછી તેને દફનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ યુવકના પરિવારજનોએ હત્યાની આશંકા બતાવીને તપાસની માંગ કરી હતી. હાઇકોર્ટના આદેશ પર કેસ નોંધવામાં આવ્યો. હવે પોલીસે મૃતદેહને કબર ખોદીને બહાર કાઢ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં થોડા દિવસો પહેલાં લગ્ન સમારોહમાં એક યુવકનું અચાનક મોત થયું હતું. એ પછી યુવકની અંતિમ ક્રિયા કરી દેવામાં આવી હતી. આ મામલે મૃતકની બહેને હત્યાની આશંકા બતાવીને તપાસની માગ કરી હતી. હાઇકોર્ટે આદેશ કરતા પોલીસે મંગળવારે શબને કબરમાંથી બહાર કાઢ્યું હતું અને ફોરેન્સીક અને પોસ્ટમોર્ટમ મોટા મોકલી આપ્યું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ, રાંચીના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ મિંજ નામના એક યુવકનું મોત થયું હતું, હવે પોલીસે આ કેસમાં શહેર  COની હાજરીમાં સરાયટાંડ વિસ્તારામાં આવેલા કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે. રાહુલ મિંજના મોત માટે પોલીસ ફોરેન્સીક તપાસ કરાવી રહી છે. રાહુલનું મોત કુદરતી હતું કે પછી હત્યા કરવામાં આવી હતી, તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

રાહુલ મિંજનું મોત 2 જૂને થઇ ગયું હતું, એ પછી તેના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ આ કેસમાં નવો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતક રાહુલની બહેન કુસુમે પોતાના ભાઇની હત્યા થઇ હોવાની આશંકા રાખીને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રાહુલના મોતના સંબંધમાં રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.હવે આ કેસમાં પોલીસે રાહુલનું મોત કુદરતી હતું કે પછી તેની પાછળ કોઈનું કાવતરું હતું તેની તપાસ શરૂ કરી છે. રાહુલ મિંજના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવા માટે મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આખરે લગ્ન પ્રસંગની વચ્ચે જ અચાનક રાહુલનું મોત કેવી રીતે થઈ ગયું અને બીજા કોઈને તેની ખબર કેવી રીતે ન પડી? પોલીસ તપાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશે કે શું આ પાછળ કોઈ કાવતરું હતું?

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.