ભાગલા વખતે ભાઈ-બહેન અલગ થઇ ગયા હતા, 74 વર્ષે મળ્યા, ખૂબ રડ્યા, વાર્તા રડાવી દેશે

એક બહેન 74 વર્ષ પછી તેના ભાઈને મળી. વિભાજન વખતે ભાઈ ભારતમાં રહી ગયો હતો અને બહેન સરહદની બીજી બાજુ પાકિસ્તાનમાં હતી. રવિવાર, 6 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે, બંને ભાઈ-બહેન કરતારપુર સાહિબ કોરિડોર પર એકબીજાને મળ્યા. મીટિંગ દરમિયાન બંને એકબીજાને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને જોઈને રડતા રહ્યા.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ પાકિસ્તાનમાં જન્મેલી સકીનાની વાર્તા છે. 1947માં ભાગલા સમયે સકીનાનો પરિવાર લુધિયાણામાં રહેતો હતો. વિભાજન સમયે, સકીનાનો પરિવાર પાકિસ્તાન આવી ગયો, જ્યારે તેની માતા ભારતમાં રહી ગઈ. આઝાદી પછી બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે, ગુમ થયેલા લોકોને એકબીજાને પરત કરવામાં આવશે.

તેના પિતાની અપીલ પર પાકિસ્તાની સેનાના જવાનો તેની માતાને લેવા લુધિયાણા પહોંચ્યા હતા. જ્યારે સેના આવી ત્યારે સકીનાનો 5 વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો. પાકિસ્તાની સેનાની ઉતાવળને કારણે ભાઈ ગુરમેલ ભારતમાં જ રહ્યો. સકીનાનો જન્મ આઝાદી પછી પાકિસ્તાનમાં થયો હતો.

સકીનાએ મીડિયાને જણાવ્યું કે, શરૂઆતમાં તેના ભાઈએ પરિવારને ઘણા પત્રો મોકલ્યા હતા. ધીરે ધીરે ભાઈના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. સકીનાના કહેવા પ્રમાણે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના ભાઈની તસવીર બતાવી. પિતાએ તેને કહ્યું હતું કે, ભાઈ લુધિયાણામાં રહે છે.

સકીનાએ જણાવ્યું કે, મોટા થયા પછી તેણે તેના ભાઈને શોધવાની કોશિશ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. તાજેતરના વર્ષોમાં, સકીનાના જમાઈએ ફરીથી તેના ભાઈની શોધ શરૂ કરી. આ માહિતી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોને મળી હતી. તેણે સકીનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં સકીનાએ લોકોને તેના ભાઈને શોધવાની અપીલ કરી હતી. આ વીડિયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગતાર સિંહે જોયો હતો. તેણે ગુરમેલ સિંહને ઓળખ્યો. આ રીતે સકીનાને તેના ભાઈ ગુરમેલ વિશે ખબર પડી.

ગયા વર્ષના અંતે, 74 વર્ષીય સકીનાએ તેના 80 વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વિડીયો કોલ પર વાત કરી હતી. સકીના અને ગુરમેલના પરિવારજનોએ કરતારપુર સાહિબ ખાતે મળવાનું આયોજન કર્યું હતું. અને પછી બંને ભાઈ-બહેનો 6 ઓગસ્ટ, રવિવારના રોજ એકબીજાને મળ્યા. હવે બંનેને આશા છે કે, ભારત અને પાકિસ્તાનની સરકારો તેમને વિઝા આપશે, જેથી બંને ભાઈ-બહેન તેમના જીવનના થોડા દિવસો એકબીજા સાથે વિતાવી શકે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.