અમુક લોકો માટે GST લવાયુ છે અમે સત્તામાં આવીશું તો બદલીશું: રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સોમવારથી કર્ણાટકના બે દિવસીય ચૂંટણી પ્રવાસ પર છે. અહીં બેલગાવીના રામદુર્ગ ખાતે શેરડીના ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન એક કે બે ઉદ્યોગપતિઓ પર છે જ્યારે ખેડૂતોની અવગણના કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે અદાણી અને અંબાણી પર હજારો કરોડનું દેવું છે. તેમને બેંકમાંથી સરળતાથી લોન મળે છે અને ખૂબ જ સરળતાથી તેમની લોન માફ પણ કરી દેવામાં આવે છે. પરંતુ ગરીબ ખેડૂતો સાથે આવું થતું નથી. એટલા માટે દેશમાં સમાનતા જરૂરી છે. મોટા ઉદ્યોગપતિઓની બેંક લોન માફ કરશો તો ખેડૂતોની લોન પણ માફ કરવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, જો કર્ણાટકમાં સરકાર બનશે તો ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળશે. મોંઘવારી વધી રહી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, પરંતુ આ મોંઘવારીના યુગમાં તમારા ખિસ્સામાં કેટલું આવે છે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મુઠ્ઠીભર લોકોના ફાયદા માટે GST લાવી હતી. તેમણે કહ્યું કે GST માત્ર પ્રભાવશાળી લોકોને મદદ કરવા માટે લાવવામાં આવ્યો હતો. GST એટલો જટિલ છે કે ઘણા લોકો તેને બરાબર સમજી શકતા નથી. નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. જો અમે કેન્દ્રમાં સત્તામાં આવીશું તો GSTમાં ફેરફાર કરીશું. માત્ર એક જ ટેક્સ હશે અને તે પણ ન્યૂનતમ હશે.

PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે દેશના ઉદ્યોગોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી દીધા છે. આખી મૂડી કેટલાક લોકોના હાથમાં છે અને તેઓ પોતપોતાના હિસાબે ફેરફાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે પરંતુ દેશમાં તેના ભાવ ખૂબ ઊંચા છે. અહીં માત્ર બે થી ત્રણ ઉદ્યોગપતિઓને જ લાભ મળી રહ્યો છે. UPA સરકારમાં દરેકને સમાન પસંદગી આપવામાં આવી હતી. અમે ગરીબો માટે મનરેગા લાવ્યા અને ખેડૂતોની લોન માફ કરી. અમે ગરીબો અને ખેડૂતો માટે કામ કર્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને પૂરી આશા છે કે, અમે કર્ણાટક ચૂંટણી જીતીશું. અમે 150 બેઠકો જીતીશું જ્યારે BJP 40થી વધુ બેઠકો જીતી શકશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભાની તમામ 224 સીટો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.