શું CM શિંદેની ખુરશી ખતરામાં,સુપ્રીમ કોર્ટ છીનવી શકે છે CM પદ?આ કેસથી ચિંતા સમજો

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગેરલાયકાત અને માનહાનિની કાર્યવાહી પર ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યા છે. તેમણે BJPના મનપસંદ સાવરકરનું નામ લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું છે કે, તેમને વધુ એક માનહાનિના કેસનો સામનો કરવો પડી શકે છે. CM શિંદે મહારાષ્ટ્રમાં BJP સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. તેઓ BJP પરના કોઈપણ હુમલાને વ્યક્તિગત હુમલા તરીકે લઈ રહ્યા છે.

વાસ્તવમાં, CM શિંદેને કાયદાકીય કોરડાની પણ આશંકા છે. CM શિંદે અને ઉદ્ધવની લડાઈમાં સુપ્રીમ કોર્ટ તેમની પાસેથી CMની ખુરશી છીનવી શકશે કે કેમ, તે અંગે તેઓ ચિંતિત છે. અને જો આવું થશે તો તેમનું રાજકીય ભવિષ્ય શું હશે, કારણ કે અંદર અંદર એવી વાતો ચાલી રહી છે કે ઉદ્ધવ ઠાકરે અને BJP ફરી એક જ રસ્તે ચાલી શકે છે.

અહીં, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની બંધારણીય બેંચે શિવસેનાના CM એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના જૂથો વચ્ચેના ઝઘડાને લગતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

આ સાથે મહારાષ્ટ્રમાં રાજકીય અનિશ્ચિતતા પણ યથાવત છે કે, શું CM એકનાથ શિંદે મહારાષ્ટ્રના CM તરીકે ચાલુ રહેશે? શું ઉદ્ધવ ઠાકરેના CM તરીકે પાછા ફરવાની સુવિધા સાથે યથાસ્થિતિ પૂર્વવત થશે? શું CM શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે? શું ગૃહનું વિસર્જન થશે અને ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે? અથવા આ જ વર્તમાન યથાસ્થિતિ ચાલુ રહેશે?

આવી સ્થિતિમાં એક સવાલ એ પણ ઊભો થાય છે કે, શું સુપ્રીમ કોર્ટ એક CMને હટાવી શકે છે? મીડિયાના એક અહેવાલમાં લખ્યું છે કે, છેલ્લા સવાલનો જવાબ હા છે. ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટે શાસક CMને પદ પરથી હટાવી દીધા છે.

મામલો સાત વર્ષ જૂનો છે. જુલાઈ 2016માં સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના CM કલિખો પુલને હટાવ્યા હતા. તેઓ માત્ર 145 દિવસ જ CM રહી શક્યા. પુલને પદ પરથી હટાવીને, સુપ્રીમ કોર્ટે રાજ્યમાં યથાવત સ્થિતિ પુનઃસ્થાપિત કરી. તેમજ તેના તમામ નિર્ણયોને અમાન્ય જાહેર કર્યા હતા.

જો કે, મહારાષ્ટ્રનો મામલો ખૂબ જ ગૂંચવાયેલો અને જટિલ છે, જેણે બંધારણની દસમી અનુસૂચિ, જે પક્ષપલટા સાથે સંબંધિત છે, ફરીથી ચર્ચામાં લાવી દીધી છે. આ મામલામાં CM શિંદે કેમ્પના ધારાસભ્યોએ કોઈ અન્ય પક્ષ સાથે પક્ષપલટા કર્યા નથી અથવા કોઈ પક્ષ સાથે ભળ્યા નથી અને તેઓએ મૂળ શિવસેના હોવાનો દાવો કર્યો છે.

CM શિંદે જૂથે, તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મદદથી (ઉદ્ધવ જૂથ દ્વારા આક્ષેપ કર્યા મુજબ), વિશ્વાસ મત પરીક્ષણમાં BJP સાથે મળીને બહુમતી મેળવવામાં સફળ રહી અને પોતાના સ્પીકરની નિમણૂક કરી. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડે બંને પક્ષો અને રાજ્યપાલ દ્વારા રજૂ કરાયેલી મુખ્ય દલીલો પર સવાલ ઉઠાવ્યા છે.

એવું માનવામાં આવે છે કે, બેંચનો નિર્ણય આ બે મુદ્દાઓ પર જ ટકી શકે છે. જો કે, CJIએ ઉદ્ધવ જૂથની સામે પણ સવાલ ઉઠાવ્યો છે કે, તમે વિશ્વાસ મત પરીક્ષણ પહેલા જ રાજીનામું કેમ આપ્યું? કોર્ટની નજરમાં ઉદ્ધવ ઠાકરેની આ એક મોટી રાજકીય ભૂલ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.