CBIનો આરોપઃ આર્યન ખાનને છોડવા સમીર વાનખેડેએ 25 કરોડ માગેલા

PC: khabarchhe.com

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ પર ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થવાની આખા દેશમાં ખૂબ ચર્ચામાં હતો. 2 વર્ષ અગાઉ જ્યારે આ કેસ લોકોમાં સામાન્ય ચર્ચાનો હિસ્સો બન્યો તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેનું નામ પણ બધાની જીભ પર હતું. આર્યન ખાન કેસના સમયે સમીર વાનખેડે, NCBની મુંબઈ વિંગના ડિરેક્ટર હતા. હવે સમીર વાનખેડે ફરી એક વખત ચર્ચામાં છે. CBI દ્વારા વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. CBI મુજબ, સમીર વાનખેડે અને તેમની તપાસ ટીમના સભ્ય, કાર્ડેલિયા ક્રૂઝ શીપ પર ડ્રગ્સ રેસ કેસમાં અરેસ્ટ થયેલા લોકોના પરિવારો પાસેથી 25 કરોડ રૂપિયા વસૂલવા માગતા હતા. CBIના કેસમાં જુબાની આપનારા લોકોમાંથી એક પ્રભાકર સેલે ખુલાસો કર્યો કે, તેના મલિક કે.પી. ગોસાવીએ કહ્યું હતું કે તેમણે આર્યનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગ્યા છે, જેમાંથી અડધા સમીર વાનખેડે માટે જશે બાકી બચેલી રકમ પોતે રાખી લેશે.

આ ખુલાસા બાદ NCBએ વાનખેડે અને તેમની ટીમ વિરુદ્ધ વિજિલેન્સ તપાસ શરૂ કરી દીધી અને એ બધા કેસ છીનવી લેવામાં આવ્યા, જેમની તપાસ કરી રહી હતી. વિજિલેન્સની તપાસમાં વાનખેડે અને તેમની ટીમ તરફથી ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી ગરબડી સામે આવી છે, ત્યારબાદ રિપોર્ટમાં બધા અધિકારીઓ વિરુદ્ધ CCS નિયમો હેઠળ કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી. CBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કેસમાં સામેલ બધા લોકો પર આરોપ છે કે તેમણે કથિત રૂપે સમીર વાનખેડેના નિર્દેશ પર ક્રૂઝ કેસના આરોપીઓ પર ડ્રગ્સ રાખવાનો આરોપ લગાવવાની ધમકી આપી.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ બધા લોકો 25 કરોડ રૂપિયા વસૂલવાની કોન્સપિરેસીમાં સામેલ હતા અને તેમને એડવાન્સમાં લાંચ તરીકે 50 લાખ રૂપિયા મળ્યા હતા. આ કેસમાં દિલ્હી, રાંચી, મુંબઈ, લખનૌ અને ચેન્નાઈ સહિત 29 જગ્યાઓ પર સર્ચ કરવામાં આવ્યું. આ સર્ચમાં આરોપોને સાચા ઠેરવતા કેટલાક દસ્તાવેજ, વસ્તુઓ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ કેસ અગાઉ વાનખેડેની પોસ્ટિંગ એરપોર્ટ પર કસ્ટમ્સમાં હતી.

એક્ટર એક્ટ્રેસિસના વિદેશમાં ખરીદેલી કસ્ટમ ડ્યુટી સાથે જોડાયેલા મુદ્દાને ઓકવા માટે વાનખેડેનું નામ જાણીતું હતું. વાનખેડેને NCBએ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં તપાસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ સર્વિસિસ (DRI) પાસેથી લોન પર લીધા હતા. આ કેસમાં તેમણે રીયા ચક્રવર્તી, તેમના ભાઈ અને ઘણા લોકોની ધરપકડ કરી હતી. હાલમાં જ વાનખેડેને RSSના હેડક્વાર્ટર પર જતા અને જનસભાઓ કરતા જોવા મળ્યા હતા. એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ રાજનીતિમાં પગ રાખવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp