શું સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી, 2024મા નહીં લડે ચૂંટણી?

કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે શનિવારે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંબોધન કર્યું છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પણ ઘણી વાતો કહી. સોનિયા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને RSSએ સ્વાયત્ત એજન્સીઓ પર કબજો જમાવ્યો છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ મિત્રો માટે દેશ ચલાવી રહ્યા છે.

સંમેલનમાં હાજર રહેલા પ્રતિનિધિઓ દ્વારા રાજકીય, આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગેના પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. સત્ર દરમિયાન સોનિયા માટે 'આભાર' નિવેદન પણ વાંચવામાં આવ્યું હતું.

પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. BJP-RSSએ દેશની એક-એક સંસ્થા પર કબ્જો કરી લીધો છે અને તેને બરબાદ કરી નાંખી છે. તેણે થોડા વેપારીઓને ફાયદો કરાવીને આર્થિક પાયમાલી ઊભી કરી છે. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ હેઠળ 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ 'ભારત જોડો યાત્રા' સાથે સમાપ્ત થઈ, જે કોંગ્રેસ માટે એક ખુબ જ મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસની અનઔપચારિક જાહેરાત કરી દીધી છે.

કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા પછી, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલાથી જ સ્થળ પર પહોંચી ગયા છે. તેમની સાથે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ પણ હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે રસ્તા પર ફેલાયેલા ગુલાબની ખાસ ચર્ચા રહી હતી.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' સફળ રહી છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ પ્રવાસને શક્ય બનાવ્યો. તેણે લોકો સાથે કોંગ્રેસના જોડાણને જીવંત કર્યું છે. કોંગ્રેસે મન બનાવી લીધું છે કે, તે દેશને બચાવવા માટે લડાઈ લડશે. કોંગ્રેસ દેશના હિત માટે લડશે. મજબૂત કાર્યકરો જ કોંગ્રેસની તાકાત છે. આપણે શિસ્ત સાથે કામ કરવાની જરૂર છે. અમારે અમારો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે. સોનિયાએ અપીલ કરી છે કે વ્યક્તિગત હિતોને બાજુ પર રાખીને બલિદાનની જરૂર છે. પાર્ટીની જીત જ દેશની જીત હશે અને આપણે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સફળ થઈશું.

સોનિયા ગાંધી પહેલા સંમેલનને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ભારત સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે દેશને એક નવા આંદોલનની જરૂર છે. 'સેવા, સંઘર્ષ અને બલિદાન તેનાથી પહેલા હિન્દુસ્તાન', આ અમારું સૂત્ર હશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.