કેન્દ્ર સરકારે પાછલા 5 વર્ષોમાં 7 શહેરો અને નગરોના નામ બદલ્યા

PC: indianexpress.com

નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણેય ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિંદીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.

કેન્દ્રએ પાછલા પાંચ વર્ષોમાં અલ્હાબાદ સહિત સાત શહેર અને નગરોના નામ બદલવાની મંજૂરી આપી છે. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણ ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.

આ એ શહેર અને નગરો છે જેના નામ બદલવામાં આવ્યાં

નિત્યાનંદ રાયે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા 15 ડિસેમ્બર,2018 એ અનાપત્તિ  પ્રમાણપત્ર(NOC) આપવામાં આવ્યું. તેના પ્રમાણે આંધ્રપ્રદેશના રાજમુંદરી શહેરનું નામ રાજા મહંદ્રવરમ કરવા, ઝારખંડમાં નગર ઉંટારીનું નામ શ્રી બંશીધર નગર કરવા પણ 2018 માં મંજૂરી આપવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે મધ્યપ્રદેશના બીરસિંહપુર પાલીને માં બિરાસિની ધામ(2018), હોશંગાબાનું નામ નર્મદાપુરમ(2021) કરવા અને બાબઈનું નામ માખન નગર કરવાની(2021) મંજૂરી આપવામાં આવી. 2022 માં પંજાબના શહેરનું નામ શ્રી હરગોબિંદરપુરથી બદલીને શ્રી હરગોબિંદરપુર સાહિબ કરવામાં આવ્યું છે.

પાછલા ત્રણ વર્ષમાં 3.92 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી

સરકારે મંગળવારે લોકસભાને જણાવ્યું કે પાછલા ત્રણ વર્ષમાં 3,92,643 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી તથા સૌથી વધુ ભારતીયોને અમેરિકાએ નાગરિકતા આપી. લોકસભામાં હાજી ફજલપુર રહમાનના પ્રશ્વનો લેખિત ઉત્તરની સાથે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા જાહેર આંકડાઓથી આ જાણકારી મળી છે. સદસ્યે વર્ષ 2019થી ચાલુ વર્ષ દરમિયાન નાગરિકતા છોડનાર ભારતીયો વિશે જાણકારી માંગી હતી.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સદનમાં રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2019 થી વર્ષ 2021 દરમિયાન નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા 3,92,643 હતી. જેમાં વર્ષ 2019 માં 1,44,017 ભારતીયોએ નાગરિકતા છોડી, જ્યારે વર્ષ 2020 માં 85,256 ભારતીયો અને વર્ષ 2021 માં 1,63,370 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી હતી.ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) ના સાંસદ સઈદા અહમદે સમગ્ર દેશમાં શહેરોના નામ બદલવાની મંજૂરી મેળવવા, હેરિટેજ સ્થળોના નામ બદલવા માટે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત વિગતો અને દરખાસ્તોની સંખ્યાઅને સરકારે તેના માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. શ્રી રાયે જવાબ આપ્યો હતો કે એમએચએ પાસે હેરિટેજ સ્થાનોના નામ બદલવા માટે આવી કોઈ માર્ગદર્શિકા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp