વ્યક્તિએ CJI ચંદ્રચૂડને પૂછ્યો સવાલ અને સુપ્રીમ કોર્ટમાં થઈ ગયો આ મોટો બદલાવ

હાલમાં જ વિદેશ યાત્રા દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડને દર્શકોમાંથી એક વ્યક્તિએ સરળ સવાલ પૂછ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જજોની ખુરશીઓની ઊંચાઈ એક સમાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જજો માટે ખુરશીઓને નવા ઢબે ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં જજ પોતાની આરામ અને સુવિધાના હિસાબે ફેરબદલ કરી શકે છે. સાથે તેમને એક સામાન ઊંચાઈ પર પણ સેટ કરવામાં આવી છે. આ બદલાવ સુપ્રીમ કોર્ટમાં હાલમાં કરવામાં આવેલા પાયાના ઢાંચાના સુધારનો જ હિસ્સો છે, જેમાં નવી ડિજિટલ ટેક્નિક પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું કે, લાંબા સમયથી જજ પોતાની ખુરશીઓમાં પોતાની જરૂરિયાતોના હિસાબે બદલાવ કરતા રહ્યા છે, પરંતુ બેન્ચ પર ખુરશીઓની અસામાન ઊંચાઈએ ક્યારેય પણ અધિકારિઓનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું નહોતું, જ્યારે 21 મેથી 2 જુલાઇ સુધી સુપ્રીમ કોર્ટના ઉનાળા વેકેશનની રજા દરમિયાન બ્રિટનમાં એક કાર્યક્રમમાં CJI ચંદ્રચૂડને તેની બાબતે કહેવામાં આવ્યું તો તેમણે આ વાત પર ધ્યાન આપ્યું. કાર્યક્રમમાં દર્શકોમાંથી એક જિજ્ઞાસુ વ્યક્તિએ તેમણે પૂછ્યું કે શું તમે મને બતાવી શકો છો કે બેન્ચમાં ખુરશીઓની ઊંચાઈ અલગ-અલગ કેમ છે? એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ઓનલાઇન જોઈ હતી.

CJI ચંદ્રચૂડને તરત જ અનુભવ થયો કે તેની વાત સાચી છે અને સ્વદેશ પરત ફરવા પર તેમણે પોતાના સ્ટાફને આ વાત કહી દીધી. તેઓ પણ આ વાતથી સહમત હતા કે આ એક યોગ્ય સવાલ હતો. તેમણે કહ્યું કે ખુરશીઓની ઊંચાઈઓ અલગ-અલગ એટલે છે કેમ કે અલગ-અલગ જજ અલગ-અલગ સમય પર પોતાની ખુરશીઓમાં બદલાવ કરે છે, જેનું મુખ્ય કારણ છે કામ પર લાંબા સમય સુધી રહેવાના કારણે પીઠ સંબંધિત સમસ્યાઓ થાય છે. CJIએ ત્યારે સુપ્રીમ કોર્ટના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, ખભા, ગળા, પીઠ અને જાંઘને યોગ્ય સપોર્ટ આપવા અને શરીરના હિસાબે એડજસ્ટ કરવાની જરૂરિયાત હોય, પરંતુ એકરૂપતા માટે ઓછામાં ઓછી તેમની ઊંચાઈ બરાબર રાખવી જોઈએ.

આ નિર્દેશોનું વિધિવત પાલન કરવામાં આવ્યું અને જ્યારે સુપ્રીમ કોર્ટ ફરીથી ખૂલી તો ખુરશીઓને એક બરાબર ઊંચાઈ પર ફરીથી સમાયોજિત કરવામાં આવી અને પીઠ અને ખભાને સારું સમર્થન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું કે, આ ખુરશીઓ ઓછામાં ઓછી એક દશક જૂની હતી. જો કે તેઓ ખરીદવાનું યોગ્ય વર્ષ બતાવવામાં અસમર્થ હતા. તેમણે કહ્યું કે, આ ખુરશીઓનો મૂળ ઢાંચો પણ ક્યારેય બદલવામાં આવ્યો નથી કેમ કે કોર્ટ પારંપરિક ડિઝાઇનને યથાવત રાખવા માગે છે, પરંતુ જજોની અંગત જરૂરિયાતો અને પસંદના આધાર પર તેમ સમય-સમય પર ફરીથી બદલાવ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, પૂર્વ CJI એન.વી. રમણાએ પોતાની ખુરશીમાં ઓર્થોપેડિક જરૂરિયારોના હિસાબે બદલાવ કર્યો હતો. હાલના CJI ચંદ્રચૂડે પણ થોડા વર્ષ અગાઉ એવું જ કર્યું હતું, જ્યારે તેમણે પીઠના નીચલા હિસ્સામાં સમસ્યા થઈ ગઈ હતી. હાલમાં એવું લાગે છે કે નવા બદલાવો છતા બધા મુદ્દાને હલ કરી શકાયા નથી કેમ કે પીઠની પરેશાનીથી પસાર થઈ રહેલા જસ્ટિસ સૂર્યકાંત, 2 ઑગસ્ટના રોજ સંવિધાનની કલમ 370માં કરવામાં આવેલા બદલાવોને પડકાર આપનારી અરજીઓની સુનાવણી દરમિયાન એક નાની ઓફિસ ચેરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.