ક્યારે લોન્ચ થશે ચંદ્રયાન-3? ISRO પ્રમુખે આપી જાણકારી, કહ્યું- હું કોન્ફિડન્ટ...

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ એસ સોમનાથને સોમવાર (29 મે)ના રોજ કહ્યું કે, ચંદ્રયાન-3ને આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. ISRO પ્રમુખનું આ નિવેદન અંતરિક્ષ એજન્સી દ્વારા GSLV રોકેટ પર એક નેવિગેશન ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ આવ્યું છે. આ પ્રક્ષેપણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે, તે બીજી પેઢીના નેવિગેશન ઉપગ્રહ શ્રૃંખલાની તહેનાતીને ચિન્હિત કરે છે, જેનાથી NavIC સેવાઓની નિરંતરતા સુનિશ્ચિત થાય છે.

ISROએ જણાવ્યું કે, નાવિકને એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે કે, સંકેતોની મદદથી ઉપયોગકર્તાની 20 મીટરના દાયરામાં સ્થિત અને 50 નેનોસેકન્ડના અંતરાલમાં સમયની સચોટ જાણકારી મળી શકે છે. ISRO ચીફે આ મિશનના સારા પરિણામ માટે પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા છે. નેવિગેશન સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. આ સેટેલાઇટનું નામ છે NVS-01, જેને GSLV- F12 રોકેટ દ્વારા લોન્ચ પેડ-2 પરથી છોડવામાં આવ્યું.

ANI સાથે વાત કરતા ISRO પ્રમુખ સોમનાથને કહ્યું, બોધપાઠ ખૂબ જ સરળ છે. ભૂતકાળમાંથી શીખો અને પોતાની ક્ષમતાથી જે પણ સંભવ છે, તે કરો. નિષ્ફળતાઓ મળી શકે છે. એક રોકેટના નિષ્ફળ જવાના હજારો કારણો છે. આજે પણ આ મિશન નિષ્ફળ થઈ શકે છે પરંતુ, આપણે તે કરવું પડશે, જે કરવાની જરૂર છે.

ચંદ્રયાન -3ના પ્રક્ષેપણની જાહેરાત ચંદ્રયાન-2ના લેન્ડર-રોવરના દુર્ઘટનાગ્રસ્ત થવાના ચાર વર્ષ બાદ થયુ છે. ચંદ્રયાન-3 મિશનના જુલાઈમાં શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ચંદ્રમાના એ હિસ્સા સુધી પ્રક્ષેપિત થવાની આશા છે, જે સૂર્યની બ્રહ્માંડીય કિરણોથી બચાવીને ઘણી હદ સુધી અંધારામાં રહે છે.

ISROના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી કે, મિશન તૈયાર થવાના અંતિમ ચરણમાં છે અને હવે યૂઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પેલોડને એકીકૃત કરવામાં આવી રહ્યા છે કારણ કે, ટીમ ભારતના સૌથી ભારે રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક- III પરના મધ્ય જુલાઈ સુધી લોન્ચિંગના લક્ષ્યને પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.

ચંદ્રયાન-2 મિશન 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન ત્રણ અલગ-અલગ પ્રણાલીઓઓ ઓર્બિટર, લેન્ડર અને રોવરનું અનોખું સંયોજન હતું. ઓર્બિટર ચંદ્રમાની ચારેબાજુ એક કક્ષામાં સ્થાપિત થશે જ્યારે, લેન્ડર અને રોવર ઇકાઈ ચંદ્રમાના સુદૂર ભાગ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.

ભારતીય અંતરિક્ષ એજન્સી પોતાના ખર્ચના પ્રભાવી દ્રષ્ટિકોણ માટે ઓળખાય છે. તેણે ચંદ્રયાન-3ની સાથે માત્ર એક લેન્ડર અને એક રોવર લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે, જેનો ઉદ્દેશ્ય નવા ચંદ્ર મિશન માટે ચંદ્રયાન-2 ના ઓર્બિટરને ફરીથી તૈયાર કરવાનું છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.