BCCIએ જેની હકાલપટ્ટી કરેલી એ ચેતન શર્મા ફરી બન્યા ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર

વર્લ્ડ કપ સહિતની મેચોમાં ખરાબ પ્રદર્શન બાદ જેમને ચીફ સિલેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા તે જ ચેતન ર્શમા પર BCCIએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચેતન શર્માને ફરી ચીફ સિલેકટર બનાવાયા છે.

ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 7 જાન્યુઆર, શનિવારે ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ફરી એક વાર ચીફ સિલેકટર તરીકે પસંદગીનો કળશ ચેતન શર્માના શિરે આવ્યો છે. ફરી એકવાર પૂર્વ ક્રિક્રેટર ચેતન શર્માને ચીફ સિલેકટર બનાવવામાં આન્યા છે. -20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન પછી BCCIએ આખી પસંદગી સમિતિ વિખેરી નાંખી હતી, એ પછી નવી કમિટીની શોધ ચાલી રહી હતી. હવે BCCIએ જે નવી કમિટીની જાહેરાત કરી છે તેમાં ચેતન શર્મા ( ચેરમેન) ઉપરાંત શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જિ, સલિલ અંકોલા અને શ્રીધરન શરથનો સમાવેશ થાય છે.

 અત્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે T-20 સીરિઝ રમી રહી છે, એ પછી વન-ડે સીરિઝ પણ રમાવવાની છે. નવી પસંદગી સમિતિ સામે હવે ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ટીમની પસંદગીનો એક પડકાર રહેશે. સાથે સૌથી મોટો નિર્ણય એ લેવાનો છે કે શું T-20 ફોર્મેટ માટે કેપ્ટન અલગ બનાવવામાં આવશે? આ વર્ષે વર્લ્ડ કપ પણ રમાવવાનો છે, એવામાં નવી સિલેકશન કમિટીએ અત્યારથી રોડ મેપ બનાવવો પડશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શનિવારે જાહેરાત કરી હતી કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નવી ઓલ ઇન્ડિયા સીનિયર સિલેકશન કમિટીની પસંદગી કરવામાં આવી છે. આ માટે લગભગ 600 અરજીઓ મળી હતી, ત્યારબાદ 11ની પસંદગી કરવામાં આવી હતી અને તે બધા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. અંતે, સલાહકાર સમિતિએ આ પાંચને સિનિયર સિલેકશન કમિટી માટે પસંદ કર્યા છે.

અગાઉની પસંદગી સમિતિના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને કોઈ મોટી સફળતા મળી ન હતી, એશિયા કપ, બે ટી-20 વર્લ્ડ કપમાં શરમજનક હાર સિવાય ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં મળેલી હારથી બધા પરેશાન થઈ ગયા હતા. આ દરમિયાન પસંદગી સમિતિ પર પણ સવાલો ઉઠ્યા હતા, જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો ત્યારે BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.