રાષ્ટ્રધ્વજની ગરીમાને બચાવવા બાળકે જે કામ કર્યું તેને સલામ, જુઓ Video

દેશના 77માં સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં લોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. દરેકના ઘરે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને આખો દેશ દેશભક્તિની ભાવનામાં જોવા મળ્યો. પણ અમુક નાસમજ લોકોએ ધ્વજને એમ જ ફેંકી દીધા. તો અમુક એવા લોકો પણ સામે આવ્યા જેઓ આપણા રાષ્ટ્રધ્વજની ગરિમાને સમજે છે અને તેના સન્માન માટે કશુ પણ કરી શકે છે. આવા જ એક બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે નાળામાં વહેતા રાષ્ટ્રધ્વજને કાઢવા માટે પોતે એમાં ઉતરી જાય છે.

બાળકે ગંદા પાણીમાંથી ધ્નજ કાઢ્યો

ઝિંદગી ગુલઝાર હે નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્કૂલના યૂનિફોર્મમાં એક બાળક જોવા મળી રહ્યો છે. જે તિરંગાની શાનને બચાવવા માટે પોતે ગંદા પાણીમાં ઉતરી જાય છે. આ દરમિયાન બાળક પાણીમાં પડેલા ધ્વજોને બહાર કાઢી લે છે. આ જ કારણ છે કે બાળક હવે લાખો-કરોડો લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. શેર થયા પછીથી આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

વીડિયો પર માત્ર અમુક જ કલાકોમાં 58 હજારથી વધારે લાઇક્સ આવી ચૂકી છે. વીડિયો પર કમેન્ટ કરી લોકો આ બાળકના જુસ્સાને સલામ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આ બાળકને સલામ છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, સૌ કોઈને હાથ જોડીને વિનંતી છે કે જો રાષ્ટ્રધ્વજ સંભાળી શકતા નથી તો તેને ખરીદો પણ નહીં. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ઝંડો આપણી શાન છે. તેનું સન્માન કરવું જોઇએ.

પાણીની અંદર ફરકાવ્યો ધ્વજ

15મી ઓગસ્ટના રોજ મધ્ય પ્રદેશના દુર્ગ જિલ્લામાં રાષ્ટ્રીય સ્તરે તરવામાં મેડલ જીતનારા બાળકોએ નોખી રીતે ધ્વજને સલામી આપી અને આઝાદીની ઉજવણી કરી. દુર્ગ જિલ્લાના પૂરઈ ગામના બાળકોએ તળાવમાં ધ્વજ લહેરાવ્યો.

લગભગ 12થી વધારે સ્વીમરો તળાવમાં ઉતર્યા અને હાથમાં તિરંગો લઇ ભારત માતાની જય અને વંદે માતરમના નારા સાથે તળાવમાં તિરંગો લહેરાવ્યો. ફ્લોટિંગ સ્વિમિંગ એકેડમીના આ બાળકોએ તળાવની અંદર ધ્વજ લહેરાવી જોરદાર પ્રદર્શન આપ્યું અને આઝાદીના દિવસને ખાસ બનાવ્યો.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.