માતા-પિતાનું ધ્યાન ન રાખ્યું તો સંપત્તિ ગુમાવી દેશે સંતાન, યોગી સરકાર....

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનાર સંતાનો માટે સંપત્તિ પર અધિકારથી જોડાયેલ નિયમમાં સંશોધન કરવા જઇ રહી છે. તેના માટે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણલક્ષી નિયમ 2014ને સંશોધિત કરવામાં આવશે. જેનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

30 દિવસમાં સંપત્તિથી બેદખલ કરવાનો અધિકાર

સમાજ કલ્યાણ વિભાગના વકીલો પાસેથી સલાહ લીધા પછી આ નવા કાયદાને યોગી આદિત્યનાથ સામે રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવમાં વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનારી સંતાનો અને સંબંધીઓને સંપત્તિમાંથી બેદખલ કરવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવી રહી છે. 30 દિવસની અંદર સંપત્તિથી સંતાનને બેદખલ કરાવી શકાશે અને તેમાં પોલીસ પણ વૃદ્ધ માતા-પિતાની મદદ કરશે.

જાણકારી અનુસાર, ઉત્તર પ્રદેશમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ નિયમ 2014 બનાવવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકાર દ્વારા માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ કાયદો 2007 પર આધારિત છે. જેમાં ફેરફાર 2014માં કરવામાં આવ્યો હતો.

આ નિયમ હેઠળ જિલ્લાધિકારીનની અધ્યક્ષતામાં ભરણ પોષણ અધિકારનું ગઠન કરવામાં આવ્યું છે. એવામાં રાજ્યમાં સપ્તમ વિધિ આયોગે જૂના નિયમોના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સક્ષમ ગણાવેલા નહીં. ત્યારપછી કાયદાના નિયમ 22(ક)22(ખ) અને 22(ગ)ને વધારવાની ભલામણ કરવામાં આવી હતી.

ત્યાર પછી આમાં વરિષ્ઠ નાગરિકોનું ધ્યાન ન રાખવા પર બાળકો કે સંબંધીઓને તે સંપત્તિમાંથી બેદખલ કરવાની જોગવાઇની વાત કરવામાં આવી છે. જે વરિષ્ઠ નાગરિકોનો કાયદાકીય અધિકાર પણ છે. સંપત્તિમાંથી બેદખલ કરવા માટેની અરજી પણ કરી શકાય છે.

સંપત્તિ પર કબ્જો કરવામાં પોલીસ મદદ કરશે

આ પ્રસ્તાવ હેઠળ વરિષ્ઠ નાગરિક પોતાની સંપત્તિમાંથી સંતાનને બેદખલ કરવા માટે ટ્રિબ્યૂનલને પોતાની અરજી આપી શકે છે. જો અરજી આપવામાં સમર્થ નછી તો કોઇપણ સંસ્થા દ્વારા અરજી દાખલ કરી શકાય છે. ટ્રિબ્યૂનલને આ અધિકાર રહેશે કે તે બેદખલ કરવાનો આદેશ બહાર પાડી શકે છે.

સાથે જ જો કોઇ વ્યક્તિ આદેશ બહાર પડ્યા પછીના 30 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકની સંપત્તિથી પોતાને બેદખલ કરતો નથી તો ટ્રિબ્યૂનલ વૃદ્ધોને સંપત્તિ પર કબ્જો અપાવવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.