બાગેશ્વર ધામમાં મંગળવાર-શનિવારે શાળાએ નથી જતા બાળકો, દુકાનોમાં કામ કરે છે

ગત દિવસોમાં પોતાની ચમત્કારી શક્તિઓના કારણે ચર્ચાઓમાં આવેલા બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જે ગઢા ગામમાં દરબાર લગાવે છે ત્યાંની સરકારી શાળામાં ભણતા બાળકોનું શૈક્ષણિક સ્તર સતત ઘટતું જઇ રહ્યું છે. શનિવાર અને મંગળવારે શાળામાં ભણવા જનારા બાળકોની સંખ્યા ન બરાબર જ હોય છે. બાળકો શાળામાં બે દિવસે જતા નથી, તેને લઇને એક અખબારે શાળામાં પહોંચીને બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી.

ગઢા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા એક પરિસરમાં છે, જ્યાં ધોરણ 1 થી લઇને 8 સુધીના બાળકો ભણે છે. શાળામાં ભણતા બાળકોની સંખ્યા લગભગ 300 છે, પરંતુ મંગળવાર અને શનિવારે શાળાએ જનારા બાળકોની સંખ્યા લગભગ 30 ટકા જ રહે છે. જો કે, આ જાણકારી શાળામાં ભણાવનાર શિક્ષકો મુજબ છે. ગ્રામજનોનું કહેવું માનીએ તો મંગળવાર અને શનિવારે કોઇ પણ બાળક શાળાએ જતું નથી.

બાગેશ્વર ધામમાં મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્ત આવે છે. આવનારા ભક્તોની સંખ્યા લાખોમાં હોય છે આ જ કારણ છે કે શાળામાં ભણતા ઘણા બાળકો મંગળવાર અને શનિવારે બાગેશ્વર ધામ અંદર દુકાન લગાવે છે અને થોડા પૈસા કમાય છે. ગઢા શાળામાં 8માં ધોરણમાં ભનારો હરિશંકર અનુરાગી કહે છે કે તે મંગળવાર અને શનિવારે શાળાએ આવતો નથી કેમ કે તે તે ધામની અંદર ધ્વજ વેચવાનું કામ કરે છે.

તો શાળામાં ભણતો વધુ એક વિદ્યાર્થી હર્ષ પાઠક માત્ર 11 વર્ષનો છે અને છઠ્ઠા ધોરણમાં ભણે છે. હર્ષ બાગેશ્વર ધામની અંદર નારિયેળ પ્રસાદની દુકાન લગાવે છે. હર્ષનું કહેવું છે કે તે પણ શનિવાર અને મંગળવારે 300 રૂપિયા કમાય છે. શાળામાં ભણતા કેટલાક બાળકોનું કહેવું છે કે મંગળવાર અને શનિવારે બાગેશ્વર ધામમાં ભીડ ખૂબ હોય છે આ કારણે તેમના માતા-પિતા તેમને શાળાએ મોકલતા નથી.

શાળાના શિક્ષક જ્વાલા પ્રસાદ શુક્લા કહે છે કે મંગળવાર અને શનિવારે લગભગ 70 ટકા બાળકો શાળાએ આવતા નથી, કેટલાક બાળકો ભીડના કારણે નથી આવતા તો કેટલાક બાળકો ધામમાં દુકાન લગાવે છે. બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ચમત્કારવાળા દાવાઓ અને વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં છે. તેઓ માત્ર 26 વર્ષના છે અને તેમમાં લાખો ભક્ત છે. તેમની સામે મોટા-મોટા VIP, નેતા-મંત્રી પણ માથું ઝુકાવતા નજરે પડે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.