રાજસ્થાનના CM ગેહલોતે દાવો કર્યો છે કે, 'BJPમાં PM મોદી સામે બળવો થઈ શકે છે'

રાજસ્થાનના CM અશોક ગેહલોતે શનિવારે PM નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)માં PM વિરુદ્ધ બળવો થઈ શકે છે. કારણ કે પાર્ટીમાં તેમનું સન્માન ઘટી ગયું છે. જોકે, તેમણે આ વાત કયા આધારે કહી તે સ્પષ્ટ થયું નથી. CM ગેહલોતે વધુમાં કહ્યું કે, BJPના કોઈપણ મોટા નેતાને પૂછો કે તેમની પાર્ટીની બેઠકોમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ તેમના પક્ષની સંસદીય દળની બેઠકમાં શું સ્થિતિ હતી. ત્યાં અત્યારે હવે કેવી હાલત થઈ ગઈ છે. તમે લોકો તે જાણી લેજો, તમને વાસ્તવિકતા ખબર પડી જશે. PM મોદીજીને લઈને પહેલા અને હમણાં કેવા પ્રકારની પરિસ્થિતિ બદલાઈ છે.

CM ગેહલોતે કહ્યું કે PM નરેન્દ્ર મોદી હવે તેમની જ પાર્ટીમાં માન ગુમાવી રહ્યા છે. આ તેમના માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કારણ કે, જાહેરમાં તેમનું જે સન્માન હતું તે પહેલા કરતા ઘટી ગયું છે. એ તો ઠીક, પરંતુ હવે તેમની પાર્ટીમાં પણ તેમનું સન્માન સતત ઘટી રહ્યું છે.

તેમણે કહ્યું કે હું PM નરેન્દ્ર મોદીને પણ સમજાવવા માંગુ છું. તમે OBC સમુદાયમાંથી PM પદ સુધી પહોંચ્યા છો. ઓછામાં ઓછું OBCનું તો માન સન્માન રાખો. પરંતુ તેઓ જે રીતે વિચારે છે. ત્યાર પછી હવે તેમની પાર્ટી પણ તેમની વિરુદ્ધ થઈ ગઈ છે. તમારી સામે ધીમે ધીમે બળવો થઈ શકે છે.

CM ગેહલોતે કહ્યું કે, અમે સાંભળીએ છીએ કે, તેમની વચ્ચે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે કઈ મનમેળ નથી. પરંતુ અમને શું ફરક પડે, તેમની વચ્ચે બને કે ન બને. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે ભારત દેશ એક અને અખંડ રહે. તેના માટે સમગ્ર દેશવાસીઓએ સમજવું જોઈએ, પછી ભલે તે કોઈપણ પક્ષ કે વિચારધારાનો હોય. દરેક વ્યક્તિએ દેશભક્તિ અને ભારત માતા માટે એકજૂટ રહેવું જોઈએ.

CM ગેહલોતે કહ્યું કે, હું ઈચ્છું છું કે, નવી પેઢીના લોકો પણ રાજનીતિમાં આવે, પરંતુ તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પાર્ટીને સમર્પિત હોવા જોઈએ. તેનાથી તેમનું ભવિષ્ય જ નહીં પરંતુ દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. પરંતુ જો તેની પ્રતિબદ્ધતા માત્ર પોસ્ટ લેવા પુરતી મર્યાદિત રહેશે, તો કઈ બનશે નહીં. હું કંઈક બની જાઉં, પોઝિશન લઇ લઉં અને બેસી જાઉં. ઘણા લોકોને પદો પણ મળે છે, પરંતુ આવા લોકો પક્ષ અને દેશનું ભલું કરી શકતા નથી. હું યુવાનોને પણ અપીલ કરવા માંગુ છું કે, તમે માત્ર અને માત્ર કામ કરો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.