મમતા બેનર્જીએ PM મોદીને મળીને બાકી નિકળતા 1 લાખ કરોડના ફંડનો મુદ્દો ઉઠાવ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. CM મમતા અને PM મોદી વચ્ચે આ ઉચ્ચ સ્તરીય બેઠક PM હાઉસમાં થઈ હતી. બંગાળના CM મમતા બેનરજી હાલમાં ચાર દિવસની દિલ્હીની મુલાકાતે આવ્યા છે. બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં રૂ. 1,00,968 કરોડ) ના બાકી ભંડોળનો મુદ્દો ઉઠાવ્યો હતો.  મમતા બેનરજી GST અને અન્ય યોજનાના બાકી નિકળતા ફંડ વિશે PM મોદી સાથે ચર્ચા કરી હતી.

મમતા બેનરજી શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પણ મળ્યા હતા. મમતા બેનરજી 7 ઓગસ્ટે નીતિ આયોગની બેઠકમાં પણ હાજરી આપવાના છે. તે વિપક્ષના નેતાઓને પણ મળી શકે છે.

PM મોદીની મુલાકાતપહેલા મમતા બેનરજીએ ગુરુવારે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદો સાથે પણ બેઠક કરી હતી. જેમાં સંસદના વર્તમાન સત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હતી.

મમતા બેનરજીએ PM મોદીને પશ્ચિમ બંગાળના બાકી નિકળતી રકમનું લિસ્ટ આપ્યું હતું. જેમાં મનરેગા યોજનામાં 6516 કરોડ , સમગ્ર શિક્ષા મિશનના 15864 કરોડ, ફુડ સબસિડીના 1263 કરોડ,AMPHEN વાવાઝોડાની રાહતના 32,000 કરોડ સહિત કુલ1,00,968 કરોડની માગં કરી હતી.

મમતા અને PM મોદીની મુલાકાત પહેલા BJP નેતા દિલીપ ઘોષના નિવેદને હલચલ મચાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે  મમતા બેનરજી એ બતાવવા પ્રધાનમંત્રી સાથે મિટીંગ કરી રહી છે કે સેટીંગ થઇ ગયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ. મમતાના ઝાંસામાં ફસાવવું ન જોઇએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ગુરુવારે બપોરે નવી દિલ્હીની મુલાકાતે કોલકાતાથી રવાના થયા હતા. થોડા કલાકો પછી CM દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રવાસ ચાર દિવસ સુધી ચાલશે. આ દરમિયાન તેએ ઘણા વરિષ્ઠ વિપક્ષી નેતાઓને મળવાના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પહોંચીને મમતા પાર્ટીના સાંસદોને મળ્યા અને સંસદ સત્રની સંપૂર્ણ માહિતી લીધી. તેમણે 2024ની સામાન્ય ચૂંટણીના રોડમેપ પર પણ ચર્ચા કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળના સાત નવા જિલ્લાઓના નામ પર સાંસદો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.મમતા બેનરજી સોમવારે કોલકાત્તા રવાના થશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.