નૂહ હિંસા પર CM ખટ્ટર: 2.7 કરોડની વસતી, 60,000 જવાન દરેકની સુરક્ષા ન કરી શકે

હરિયાણાના મેવાત-નૂહમાં થયેલી હિંસાને લઇ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, હિંસામાં જે પણ નુકસાન થયું છે તે ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવશે. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને નુકસાનીનો દાવો કરવા કહ્યું છે. તેઓ બોલ્યા કે, અમે પોર્ટલના માધ્યમથી લોકોને થયેલા નુકસાનનું આંકલન કરીશું. અમે સ્થિતિને ગંભીરતાથી લઇ રહ્યા છે. હું લોકોને શાંતિની અપીલ કરું છું.

મુખ્યમંત્રી કહે છે કે, રાજ્યની વસતી 2.7 કરોડ છે. અમારી પાસે 60 હજાર જવાન છે. એવામાં પોલીસ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકે નહીં. અમે પેરામિલિટ્રી ફોર્સની વધુ 4 કંપનીઓ માગી છે. પણ પોલીસ કે સેના કોઈપણ સુરક્ષાની ગેરેન્ટી લઇ શકે નહી. શાંતિ અને સદ્ભાવના રાખવાની જરૂર છે. નૂહમાં ગૌરક્ષાનો મુદ્દો છે. આ કેસમાં સુરક્ષાની જવાબદારી પોલીસની રહેશે. આ કેસમાં 100 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. હું મુસ્લિમ યુવાઓને પ્રોત્સાહિત કરુ છું કે તેઓ ગૌરક્ષા માટે આગળ આવે.

તેઓ કહે છે કે, આ હિંસામાં 6 લોકોના મોત થયા છે. જેમાં 2 પોલીસકર્મી અને 4 નાગરિકો સામેલ છે. આ કેસમાં અત્યારસુધીમાં 116 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તો 190 આરોપી કસ્ટડીમાં છે. અમે નક્કી કર્યું છે કે ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવશે અને તેમની પાસેથી નુકસાનીનું વળતર વસૂલવામાં આવશે. મોનૂ માનેસર પર રાજસ્થાન પોલીસે કેસ દાખલ કર્યો હતો, પણ અમારી પાસે કોઈ ઈનપુટ નથી. રાજસ્થાન પોલીસ આ કામમાં લાગી છે. બહારના વ્યક્તિની ભૂમિકા પર નજર રાખવામાં આવી રહી છે.

જાણ હોય તો, હરિયાણાના મેવાત જિલ્લાના નૂહમાં સોમવારે વિશ્વ હિંદૂ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની તરફથી કાઢવામાં આવેલી બ્રજમંડલ યાત્રા દરમિયાન હંગામો થઇ ગયો હતો. ઉપદ્રવીઓએ ઘણી ગાડીઓને આગમાં હોમી દીધી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હરિયાણાના મેવાત અને સોહનામાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા જોતજોતામાં ગુરુગ્રામ, ફરિદાબાદ સુધી પહોંચી ગઇ. બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. લગભગ 90 ગાડીઓ આગમાં હોમી દેવામાં આવી. આ તણાવની શરૂઆત નૂહથી શરૂ થઇ. જ્યાં બ્રજમંડળ યાત્રા દરમિયાન બે સમૂહ વચ્ચે ટકરાવ થયો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.