અતીકની હત્યા બાદ પહેલીવાર જાહેર સમારંભમાં બોલ્યા CM યોગી, જાણો શું કહ્યું

On

માફિયા અતીક એહમદ અને તેના ભાઈની હત્યા બાદ યુપીના CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે કોઈ અપરાધી વેપારીઓને ધમકાવી નહીં શકે. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજીને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. CMએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વર્ષ 2017 પહેલા દંગા માટે જાણીતું હતું. દર બીજા દિવસે દંગા થતા હતા. 2012થી 17ની વચ્ચે 700 કરતા વધુ દંગા થયા. પરંતુ, 2017 બાદ દંગાની નોબત નથી આવી અને હવે આજે કોઈપણ અપરાધી વેપારીઓને ધમકાવી નથી શકતો.

CM યોગીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના કલંકને અમે ભૂંસી નાંખ્યો છે. પહેલા કહેવામાં આવતું હતું, જ્યાંથી અંધારુ શરૂ થાય, ત્યાંથી ઉત્તર પ્રદેશ શરૂ થાય. આજે તે દૂર થઈ ગયુ છે. 75 માંથી 71 જનપદ અંધારામાં રહેતા હતા. આજે ઉત્તર પ્રદેશના ગામોમાં સ્ટ્રીટ લાઇટ્સ જગમગે છે.

ટેક્સટાઇલ્સ પાર્કને લઇને MoU કાર્યક્રમ દરમિયાન CM યોગીએ કહ્યું કે, તેઓ વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરે છે. ઉત્તર પ્રદેશની ઓળખ જે વસ્ત્ર ઉદ્યોગ દ્વારા હતી અને આ ઉદ્યોગ માટે PM મિત્ર યોજનાની શરૂઆત માટે પ્રદેશને પસંદ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પુરાતન ગૌરવને આપવા બદલ હૃદયથી આભાર. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ કૃષિ પ્રધાન રાજ્ય રહ્યું છે, અહીંની મોટી આબાદી કૃષિ પર નિર્ભર રહે છે. કૃષિ બાદ વસ્ત્ર ઉદ્યોગ પર મોટી નિર્ભરતા છે. લખનૌની ચિકનકારી, ભદોહીનો કારપેટ ઉદ્યોગ, કાનપુર વસ્ત્ર ઉદ્યોગનું હબ હતું. કાનપુર પ્રદેશ જ નહીં, દેશનું પણ મહત્ત્વપૂર્ણ શહેર હતું. પરંતુ, એક સમય આવ્યો, જ્યારે કાનપુરના ઉદ્યોગ બંધ થતા ગયા. હેન્ડલૂમ સેક્ટર પણ બંધ થઈ ગયુ. વિગત નવ વર્ષોમાં દેશે પ્રગતિ કરી છે.

CM યોગીએ કહ્યું કે, ઇન્વેસ્ટર સમિટમાં ઉત્તર પ્રદેશમાં નિવેશનો એક મોટો પ્રસ્તાવ પ્રાપ્ત થયો અને ઉત્તર પ્રદેશ આગળ જલ્દી દસ લાખ કરોડના નિવેશના પ્રસ્તાવોને પ્રાપ્ત કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની કરશે. નિવેશકોની રાજ્ય સરકાર દરેક જરૂરિયાત પૂર્ણ કરવાનું કાર્ય કરી રહી છે. સરકાર માનવીય હસ્તક્ષેપને ઝીરો સ્તર પર લઇ આવ્યા છીએ. અમે પૂરી પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યા છીએ. અમે કામદારો માટે ઇન્ટર્નશિપની પણ કામગીરી કરી રહ્યા છીએ, આવુ કદાચ જ એક-બે રાજ્યો કરી રહ્યા હશે. વસ્ત્ર ઉદ્યોગ અથવા અન્ય ઉદ્યોગ માટે અમે વીજળીને લઇને પ્રતિ યૂનિટ છૂટ પણ આપીશું. નિવેશકે કોઈ ઓફિસના ચક્કર કાપવા નહીં પડે તે માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર નિવેશકો માટે, તમારી પૂંજીને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

CM એ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી સારી થઈ છે, પૂર્વાંચલ અને બુંદેલખંડ એક્સપ્રેસ-વે સંચાલિત છે. અમારો પ્રયાસ છે કે ગંગા એક્સપ્રેસ વેને અમે કુંભ 2025 પહેલા શરૂ કરી દઈશું. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજી સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. આજે ઉત્તર પ્રદેશના દરેક જનપદની અલગ-અલગ પોતાની ઓળખ છે, અમે તેના ડિસ્પ્લેની પણ વ્યવસ્થા કરી છે. 2017 પહેલા માત્ર બે એરપોર્ટ હતા કારણ કે, કહેવાતુ હતું કે કોઈ આવશે જ નહીં, તો એરપોર્ટની શું જરૂર છે. ઉત્તર પ્રદેશ આજે ઝડપથી વધી રહ્યું છે.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.