EVM ખરાબ થવાને લીધે આ રાજ્યના CM વોટ ન કરી શક્યા, કહી આ વાત

મિઝોરમમાં 40 સીટની વિધાનસભા ચૂંટણી માટે એક કડી સુરક્ષાની વચ્ચે મંગળવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું. અધિકારીઓએ જણાવ્યું કે, મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલું રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદાતા 174 ઉમેદવારોનું ભવિષ્યય નક્કી કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદાતા સામેલ છે. આની વચ્ચે ખબર આવી કે EVM ખરાબ થવાને લીધે મુખ્યમંત્રી અને MNFના નેતા જોરમાથાંગા પોતાનો મત આપી શક્યા નહીં. મિઝોરમના CM સવારે મતદાન કરવા પહોંચ્યા હતા પણ પોલિંગ બૂથથી વોટ નાખ્યા વિના પાછા ફર્યા. જોકે ત્યાર પછી ફરી વાર જઇને તેમણે વોટ આપ્યો.

મશીન ખરાબ

મુખ્યમંત્રીએ કહ્યું કે, મશીન ખરાબ હતું. આથી ત્યાર પછી હું મારા ચૂંટણીક્ષેત્રની મુલાકાત માટે ગયો અને ત્યાર બાદ મત નાખ્યો. તેઓ આઈઝોલ વિધાનસભા ક્ષેત્રના અંતર્ગત 19-આઈઝોલ વેંગલાઈ-1 વાઈએમએ હોલ મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે. અમને આશા છે કે અમે આનાથી વધારે કદાચ 25 કે તેનાથી વધારે સીટો હાંસલ કરી શકીશું. મને લાગે છે કે અમે સરળતાથી બહુમત હાંસલ કરી લેશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોના આધારે ફરી એકવાર બહુમત આપશે.

મુખ્યમંત્રી જોરામથાંગાએ ત્યાર પછી બીજી વાર મતદાન કેન્દ્ર પહોંચીને મત આપ્યો. વોટ આપ્યા પછી તેમણે કહ્યું કે, મેં મારો મત આપી દીધો છે અને અડધા વિધાનસભા ક્ષેત્રમાં પણ ફરી ચૂક્યો છું. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહીશું અને હું મારા વિધાનસભા ક્ષેત્રમાં એક જબરદસ્ત જીત હાંસલ કરીશ.

જણાવીએ કે, સત્તારૂઢ MNF, મુખ્ય વિપક્ષી પાર્ટી ZPM અને કોંગ્રેસે બધી સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. BJP 23 સીટો પર ચૂંટણી લડી રહી છે અને AAPએ 4 સીટો પર ઉમેદવારોને ઉતાર્યા છે. આ ઉપરાંત 27 નિર્દલીય ઉમેદવાર છે. મિઝોરમમાં 1276 મતદાન કેન્દ્રોમાંથી 149 દૂરના મતદાન કેન્દ્ર છે.

જ્યારે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સીમાની આસપાસ લગભગ 30 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પહેલા મ્યાંનમારથી જોડાયેલ 150 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડર અને બાંગ્લાદેશથી લાગેલ 318 કિમી લાંબી સીમાને સીલ કરી દેવામાં આવી છે. મત ગણતરી 3 ડિસેમ્બરના રોજ થશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.