સુપ્રીમ કોર્ટે બંધારણને હાઇજેક કર્યું, કાયદામંત્રીએ પૂર્વ જજનું નિવેદન શેર કર્યુ

ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત કોલેજિયમ સિસ્ટમને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. કોલેજિયમના વિવાદ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ આરએસ સોઢીનું નિવેદન શેર કર્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ભૂતપૂર્વ ન્યાયાધીશની ટિપ્પણીઓને ટાંકીને કહ્યું, આ સૌથી વધુ સમજદાર અભિગમ છે.

દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આરએસ સોઢીએ 'લોસ્ટ્રીટ ભારત' યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ન્યાયાધીશોની નિમણૂકમાં કોલેજિયમ સિસ્ટમનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ જસ્ટિસ આર.એસ.સોઢીએ કહ્યું હતું કે જજોની નિમણૂક પોતે જ કરશે, સરકારની આમાં કોઈ ભૂમિકા નહીં હોય. સુપ્રીમ કોર્ટે આ રીતે બંધારણને હાઈજેક કર્યું છે.

ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે,જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે તેમાં એક સિસ્ટમ હતી. એક આખું ચેપ્ટર હતું કે જજની નિમણુંક કેવી રીતે થાય છે? જે લોકો એમ કહે છે કે આ સિસ્ટમ ગેરબંધારણીય છે, તેઓ બંધારણમાં સુધારાની વાત કરી શકે છે. આ સુધારો તો સંસદ જ કરશે, પરંતુ સુપ્રીમ કોર્ટે બંધારણને જ હાઈજેક કર્યું છે. તેઓએ કહ્યું કે અમે જાતે જ નિમણૂક કરીશું અને તેમાં સરકારનો કોઈ હાથ નહીં હોય.

કોલેજિયમ અંગે પૂર્વ જસ્ટિસ સોઢીએ કહ્યું કે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ હેઠળ આવતી નથી. તે દરેક રાજ્યની સ્વતંત્ર સંસ્થા છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કરે છે અને સુપ્રીમ કોર્ટના જજ પોતાને જ એપોઇન્ટ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ જેને જ્યાં મોકલવા માંગે છે  ત્યાં ટ્રાન્સફર કરી દે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટના ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ તરફ જોવા માંડે છે.  આ આપણા બંધારણમાં ક્યારેય કહેવામાં આવ્યું નથી.

પૂર્વ જસ્ટિસ સોઢીના નિવેદનને શેર કરતા કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, દેશના મોટાભાગના લોકોનો આ સમજદાર અભિપ્રાય છે. તેમને એવું પણ લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં જનતાનો પ્રતિનિધિ હોવો જોઈએ. ભારતીય લોકતંત્રની અસલી ખુબસુરતી તેની સફળતા છે.  જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી સ્વંય શાસન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને કાયદો બનાવે છે. આપણી ન્યાય પાલિકા સ્વતંત્ર છે, પરંતુ આપણું બંધારણ સર્વોચ્ય છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.