RSS-ડાબેરીઓ પર ટિપ્પણી કરીને કુમાર વિશ્વાસે માંગી માફી, કહ્યું, 'કેટલાક લોકો...'

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ દિવસોમાં કવિ કુમાર વિશ્વાસની રામકથા ચાલી રહી છે. આ ત્રણ દિવસીય રામકથાના પહેલા જ દિવસે કુમાર વિશ્વાસે કથિત રીતે RSS વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેણે સંઘ સહિત BJPના કાર્યકરોને નારાજ કર્યા હતા. હકીકતમાં, કુમાર વિશ્વાસે અમુક મુદ્દા પર કહ્યું હતું કે 'ડાબેરીઓ અભણ છે અને RSS અભણ છે'.

આ પછી નારાજ BJP કાર્યકર્તાઓએ તેમને ચેતવણી આપી હતી કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેઓ તેમની રામકથા ચાલુ રાખવા દેશે નહીં. તેમજ તેમને ઉજ્જૈનમાં પગ મુકવા દેવામાં આવશે નહીં. આના થોડા સમય બાદ કુમાર વિશ્વાસે એક વીડિયો બહાર પાડીને માફી માંગી હતી. વીડિયો દ્વારા કુમાર વિશ્વાસે કહ્યું કે, 'તે એક બાળક સાથે વાત કરી રહ્યો હતો, તે દરમિયાન તેણે કંઈક આવું કહ્યું. લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો છે.'

જય જય સિયા રામ... કથા પ્રસંગમાં, તેમણે તેમની સાથે કામ કરતા એક બાળક વિશે ટિપ્પણી કરી, જે આકસ્મિક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરે છે. તે ઓછું વાંચે અને લખે છે, પણ વધુ બોલે છે. મેં તેને બસ એટલું જ કહ્યું કે તું ભણવાનું લખવાનું ચાલુ રાખ, તું ભણતો નથી. ડાબેરીઓ અભણ છે અને તું  અભણ છો. કેટલાક વિઘ્નસંતોષીઓએ તેને વધારે પડતું ફેલાવી દીધું.

કુમાર વિશ્વાસે કહ્યું કે, 'બુધવારે તેમને ખબર પડી કે કેટલાક લોકો રામકથાને ભંગ કરવાની વાત કરી રહ્યા છે. તો એક વાત યાદ રાખો કે, રામની કથા કોણ ભંગ કરે છે. તેમણે લોકોને રામકથામાં પહોંચવા અને હું જે કહું છું તેનો અર્થ સમજવા વિનંતી કરી છે. જો તમે બીજો અર્થ નીકળો છો તેમાં તેના માટે હું જવાબદાર નથી. જો કોઈ ખોટો સંદેશ ફેલાવવામાં આવ્યો છે તો, તેના માટે કૃપા કરીને મને માફ કરશો.'

અત્રે ઉલ્લેખનીય છે કે, કુમાર વિશ્વાસની આ ટિપ્પણી બાદ BJP પ્રવક્તાએ ટ્વીટ કરીને લખ્યું, 'જો તમે રામ કથા કરવા આવ્યા છો, તો રામ કથા જ કહો, પ્રમાણપત્રો ન વહેંચો.'

અહીં તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉજ્જૈનમાં ત્રણ દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કવિ કુમાર વિશ્વાસે તેમના વક્તવ્ય દ્વારા સંભળાવ્યું છે. રામ કથા દરમિયાન કુમાર વિશ્વાસે RSS અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, 'જ્યાં ડાબેરીઓ અભણ છે, ત્યાં સંઘ અભણ છે.' આ નિવેદનને લઈને BJP અને સંઘના નેતાઓએ કુમાર વિશ્વાસ પર પ્રહારો કર્યા છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.