શું છીનવાઇ જશે AAPની સૌથી મોટી તાકત? દારૂ કૌભાંડમાં કંઇ રીતે ઘેરાયા કેજરીવાલ

દિલ્હીમાં થયેલા કથિત દારૂ કૌભાંડના કારણે આમ આદમી પાર્ટી (AAP)ની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. પાર્ટીના બીજા સૌથી મોટા નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપી બનાવવાથી મજાક થઇ તો હવે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં આવી ગયું છે. આમ આદમી પાર્ટીના ઘણા નેતા અને મંત્રી ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાઇ ચૂક્યા છે, પરંતુ આ પહેલી વખત છે જ્યારે કોઇ કેસમાં પોતે કેજરીવાલનું નામ સીધી રીતે લેવામાં આવ્યું છે.

પોતાને કટ્ટર ઇમાનદાર કહેનારી પાર્ટી માટે સૌથી મોટું સંકટ માનવામાં આવે છે. રાજનૈતિક જાણકાર તેને આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકત પર ઘા માની રહ્યા છે. દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી EDએ કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. EDએ તેમાં ઘણા સનસનીખેજ દાવા કર્યા છે. એજન્સીનું કહેવું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની દારૂ કૌભાંડના આરોપીઓ સાથે મિલીભગત હતી. આરોપ છે કે, કેજરીવાલે દારૂ કંપનીના માલિક અને આરોપીઓમાંથી એક સમીર મહેન્દ્રુ સાથે વાતચીત કરી હતી અને વિજય નાયરને પોતાનો માણસ કહેતા તેના પર ભરોસો કરવા કહ્યું હતું. પાર્ટી સાથે જોડાયેલો વિજય નાયર પણ કૌભાંડમાં આરોપી છે.

EDએ આરોપીને પૂછપરછના આધાર પર કહ્યું છે કે નાયરે ફેસટાઇમ એપ દ્વારા કેજરીવાલની વાત સમીર મહેન્દ્રુ સાથે કરાવી હતી. EDએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલના સહયોગી વિજય નાયરે AAP નેતાઓ તરફથી 100 કરોડ રૂપિયા લાંચ સ્વીકારી. AAP પદાધિકારીઓ, મંત્રીઓ અને તેમના સહયોગીઓએ આ રૂપિયાઓના ઉપયોગ કર્યો. તપાસ એજન્સીએ દાવો કર્યો કે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો. ED મુજબ, મનીષ સિસોદિયાના સેક્રેટરી રહેલા સી. અરવિંદે જણાવ્યું કે, ખાનગી કંપનીઓને હોલસેલના બિઝનેસ આપવા કે 12 ટકા પ્રોફિટ માર્જિનને લઇને મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઇ નહોતી.

તેમને માર્ચ 2021માં ડ્રાફ્ટ JOM રિપોર્ટ આપવામાં આવ્યો, જ્યારે તેમને સિસોદિયાએ કેજરીવાલના આવાસ પર બોલાવવામાં આવ્યા, જ્યાં સત્યેન્દ્ર જૈન પણ ઉપસ્થિત હતા. દારૂ કૌભાંડને લઇને પહેલાથી સવાલોનો સામનો કરી રહેલી AAPને EDની ચાર્જશીટ બાદ નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લગભગ એક દશક અગાઉ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી બનેલી પાર્ટીએ ઇમાનદારીની છબીના સહારે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી તો ગુજરાતથી ગોવા સુધી ઘણા રાજ્યોમાં પણ એન્ટ્રી મારી છે.

રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરવા માટે શરત પૂરી કરી ચૂકેલી પાર્ટી આખા દેશમાં વિસ્તાર પર કામ કરી રહી છે. જો કે, પોતે કેજરીવાલનું નામ કૌભાંડમાં આવ્યા બાદ પાર્ટીની આશાઓને ઝટકો લાગી શકે છે. રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, પોતાને કટ્ટર ઇમાનદાર પાર્ટી કહેનારી ‘AAP’ની સૌથી મોટી તાકતને નુકસાન પહોંચી છે. પાર્ટીએ આ પૂંજીના સહારે સફળતાના નવા અધ્યાય બનાવ્યા છે. જનતાની નજરોમાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પાર્ટી નેતાઓને ખૂબ મહેનત કરવી પડશે. જેની શરૂઆત પોતે અરવિંદ કેજરીવાલે કરી અને કહ્યું કે, EDના આરોપ કાલ્પનિક છે. આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ વૈકલ્પિક રાજનીતિનો દાવો કરનારા કેજરીવાલ પર આક્રમક પ્રહાર કરી શકે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.