ચૂંટણી પહેલા સચિન પાયલોટનો ફરી ગેહલોત સામે મોર્ચો,વસુંધરા રાજે પર એક્શન નથી લેતા

રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે પોતાની જ સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે ફરી એક વખત મોર્ચો માંડતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. પાયલોટે રવિવારે જયપુરમાં એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે ગેહલોતને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી છે છતા આજ સુધી તેમણે કાર્યવાહી કરી નથી એટલે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે 11 એપ્રિલે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફુલેની જન્મ જયંતિના દિવસે 1 દિવસનું ઉપવાસ આંદોલન કરવામાં આવશે. પાયલોટની જાહેરાતને કારણે રાજસ્થાનના રાજકારણમાં હંગામો મચી ગયો છે. રાજસ્થાનમાં આગામી દિવસોમા વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પાયલોટના આંદોલનની જાહેરાતને કારણે કોંગ્રેસી નેતાઓના જીવ ઉંચા થઇ ગયા છે.

સચિન પાયલોટે રવિવારે જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે લોકોના નામ પર અશોક ગેહલોત સામે નિશાન સાધી દીધું હતું. પાયલોટે કહ્યું કે તમે વસુંધરા રાજે સામે કાર્યવાહી નથી કરતા તો લોકો એમ માનશે કે ગેહલોત અને વસુંધરા રાજેની મીલીભગત છે. તેમણે કહ્યું કે વારંવાર ફરિયાદ કરવા છતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલાતે વસુંધરા રાજે સામે કોઇ પગલા લીધા નથી. પાયલોટે 45000 કરોડના ગોટાળાનો આરોપ લગાવ્યો છે.

પાયલોટે કહ્યું કે સાડા ચાર વર્ષ થયા છતા હજુ CBIને કેસ સોંપવામાં આવ્યો નથી. એટલે આખરે નાછુટકે મારે ઉપવાલ આંદોલનનું શસ્ત્ર ઉપાડવું પડ્યું છે. તેમણે કહ્યુ કે 2013માં જ્યારે અમારી સરકાર હતી અને તે વખતની ચૂંટણીમાં અમે હારી ગયા હતા અને રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર બની હતી. તે વખતે અમે વસુંધરા રાજેના અનેક કૌભાંડો લોકો સમક્ષ જાહેર કર્યા હતા. એ વાતને કદાચ લોકોએ સ્વીકારી હતી અને 2018માં ફરી એકવાર કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તા મળી. અમારી પાસે વસુંધરા રાજે સામે અનેક પુરાવા છે અને જ્યારે પ્રજાને કૌભાંડો સામે પગલાં લેવાનું વચન આપેલું છે ત્યારે અમારી જ સરકાર નિષ્ક્રીય બની ગઇ છે.

આ પહેલાં પણ સચિન પાયલોટ અશોક ગેહલોત સામે મોર્ચો માંડી ચૂક્યા છે. જયપુરમા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાયલોટે મુખ્યમંત્રી ગેહલોતના જુના વીડિયો પણ મીડિયાને બતાવ્યા હતા.

હજુ થોડા સમય પહેલાં જ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રીની ખુરશીને લઇને અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે રાજકીય અથડામણ થઇ હતી અને તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.