અમિત શાહ સામે FIR થઈ, શાહે કહેલું- જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રમખાણો થશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસના નેતાઓએ કર્ણાટકમાં અમિત શાહ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ DK શિવકુમારે પણ અમિત શાહના ઉશ્કેરણીજનક નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. BJP-કોંગ્રેસની સાથે કર્ણાટકના તમામ પ્રાદેશિક પક્ષો જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં એકબીજાને હરાવવા માટે તમામ રણનીતિ અપનાવી રહ્યા છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે. કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓએ અમિત શાહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. કોંગ્રેસે શાહ પર ભડકાઉ નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, અમિત શાહ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા ઉપરાંત લોકોમાં દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે. અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો આરોપ પણ લાગ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, ડૉ. પરમેશ્વર અને DK શિવકુમાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ FIR નોંધાવી. અમિત શાહ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસના વડા D.K. શિવકુમારે કહ્યું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેઓ સાંપ્રદાયિક અધિકારો પર અસર કરશે. તેઓ આવું નિવેદન કેમ કરી રહ્યા છે?... અમે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.'

બેંગલુરુમાં કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, 'જો ભારતના ગૃહમંત્રી ધર્મો અને સમુદાયો વચ્ચે સંઘર્ષ પેદા કરી શકે તેવા ખોટા નિવેદનો આપશે તો કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કોણ કરશે. અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ FIR નોંધાવી છે.'

'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રમખાણો થશે' એવા અમિત શાહના નિવેદનને ટાંકીને કર્ણાટક કોંગ્રેસના વડા D.K. શિવકુમારે કહ્યું કે 'કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ'. જો કોઈ સામાન્ય માણસે આવું નિવેદન આપ્યું હોત તો તેની ધરપકડ કરવામાં આવી હોત. કેન્દ્રીય ગૃહમંત્રી એવું કહેવાય જ કેમ કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો કોમી રમખાણો થશે. તેઓ ગૃહમંત્રી છે, BJPના સ્ટાર પ્રચારક નથી.'

FIRની પુષ્ટિ કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, તેમની પાર્ટીએ ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષાના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) , 171G (ચૂંટણીના સંબંધમાં ખોટું નિવેદન), 505(2) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવના ફેલાવવાનું અથવા તેને વધારવાના નિવેદનો) અને 123 (યુદ્ધ કરવા માટે ડિઝાઇનને સરળ બનાવવાના હેતુથી છુપાવવા) હેઠળ FIR નોંધાવવામાં આવી છે.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.