રાહુલ ગાંધીએ હવે ટ્રેનના જનરલ ડબ્બામાં કરી યાત્રા, લોકોને પૂછી તકલીફો

ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જનતા વચ્ચે સુપર એક્ટિવ છે. તેઓ ક્યારેક ખેડૂતોને મળી રહ્યા છે તો ક્યારેક બાઇકના કારીગરોને. તેની સાથે જ તેઓ સ્કૂટી અને ટ્રકથી યાત્રા પણ કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધી સામાન્ય લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા છે. અહી તેઓ તેમને સમસ્યા અને તેમના સમાધાનની રીતો બાબતે વાતચીત કરે છે. આ દરમિયાન હવે રાહુલ ગાંધીએ ટ્રેનની મુસાફરી કરી છે. છત્તીસગઢમાં ચૂંટણી બ્યૂગલ વાગી ચૂક્યું છે.

ભાજપ અને કોંગ્રેસ શાનદાર પ્રચાર અને જનસભાઓ કરવામાં લાગી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢ પહોંચ્યા હતા. અહી એક કાર્યક્રમમાં હિસ્સો લીધા બાદ તેઓ બિલાસપુરથી રાયપુર માટે જવા માટે ટ્રેનમાં ચડી ગયા. અહી તેમણે જનરલ ડબ્બામાં બેસીને પોતાની યાત્રા પૂરી કરી. આ દરમિયાન તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પ્રદેશ પ્રભારી કુમારી સેલજા પણ સાથે નજરે પડ્યા. આ અગાઉ બિલાસપુરમાં આવાસ સંમેલનના મંચ પરથી જનતા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે હું અહી આવ્યો અને આ બટન દબાવ્યું.

આ બટનને દબાવતા જ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના ખાતામાં 1200 કરોડ રૂપિયા પહોંચી ગયા. અમારી છત્તીસગઢની સરકાર આજે ગરીબોના આવાસ બનાવવા માટે પૈસા આપી રહી છે. આજે 1200 કરોડ રૂપિયા તમારા ખાતામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ આ પ્રકારે તમારા ખાતામાં પૈસા આવશે. ચૂંટણી સમયે અમે તમને ખેડૂતોની લોન માફ, વીજ બિલ માફ અને 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ધાન ખરીદવાનો વાયદો કર્યો હતો. અમે પોતાના આ વાયદા પૂર્ણ કર્યો.

તેની સાથે જ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, સરકારને ધારાસભ્ય અને સાંસદ ચલાવતા નથી, પરંતુ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ચલાવે છે. હિન્દુસ્તાનની સરકારમાં જે 90 સેક્રેટરી છે, એ જ બધી યોજના બનાવે છે અને એ નક્કી કરે છે કે કેટલા પૈસા ક્યાં જશે. તમને બતાવવા માગું છું કે આ 90 લોકોમાંથી માત્ર 3 લોકો OBC સમાજના છે. આ 3 સેક્રેટરી દેશનું માત્ર 5 ટકા બજેટ ચલાવે છે. શું હિન્દુસ્તાનમાં માત્ર 5 ટકા OBC છે. આ સવાલનો જવાબ માત્ર જાતિગત વસ્તી ગણતરીથી મળી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.