કર્ણાટકમાં ભાજપની હારના 6 મુખ્ય કારણ, આ ભૂલો પડી ભારે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામનો દિવસ છે. કર્ણાટકના 36 મતગણતરી કેન્દ્ર પર 224 વિધાનસભાના વોટોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી ટ્રેન્ડમાં કોંગ્રેસ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને શરમજનક હાર આપીને પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવતી નજરે પડી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ 80 સીટોથી નીચે સમેટાઇ જતી નજરે પડી રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત સાથે જ હાર અને જીતના કારણોને લઈને પણ ચર્ચા થઈ રહી છે. કર્ણાટકમાં ભાજપની હાર પાછળ મજબૂત ચહેરા ન હોવા અને રાજકીય સમીકરણ સાધવામાં નિષ્ફળતા જેવા મોટા કારણો રહ્યા છે.

ભાજપની હાર પાછળના 6 કારણો:

કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ મજબૂત ચહેરા ન હોવાનું રહ્યું છે. યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્મઇને ભાજપે ભલે મુખ્યમંત્રી બનાવ્યા હોય, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર રહેતા પણ બોમ્મઇનો કોઈ ખાસ પ્રભાવ નજરે ન પડ્યો. તો કોંગ્રેસ પાસે ડી.કે, શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્મઇને આગળ કરીને ચૂંટણી મેદાનમાં ઊતરવું ભાજપને મોંઘું પડી ગયું.

ભાજપની હાર પાછળનું મહત્ત્વનું કારણ ભ્રષ્ટ્રાચારનો મુદ્દો રહ્યો. કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ શરૂઆતથી જ 40 ટકા પે-CM કરપ્શનનો એજન્ડા સેટ કર્યો અને તે ધીરે ધીરે મોટો મુદ્દો બની ગયો. ભ્રષ્ટાચારના મુદ્દા પર જ એસ. ઈશ્વરપ્પાને મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું, તો એક ભાજપના ધારાસભ્યને જેલ જવું પડ્યું. સ્ટેટ કોન્ટ્રાકટર એસોસિએશને વડાપ્રધાનને પણ ફરિયાદ કરી નાખી. ભાજપ માટે આ મુદ્દો ચૂંટણીમાં ગળાની ફાંદની જેમ રહ્યો અને પાર્ટી તેનો તોડ શોધી ન શકી.

કર્ણાટકમાં રાજનૈતિક સમીકરણ પણ ભાજપ સાધીને ન રાખી શકી. ભાજપ ન તો પોતાના કોર વોટ બેંક લિંગાયત સમુદાયને પોતાની સાથે જોડીને રાખી શકી અને ન તો દલિત, આદિવાસી, OBC અને વોંક્કાલિંગા સમુદાયનું દિલ જીતી ન શકી. તો કોંગ્રેસ મુસ્લિમોથી લઈને દલિત અને OBCને મજબૂતીથી જોડીને રાખવા સાથે સાથે લિંગાયત સમુદાયના વૉટબેંકમાં સેંધમારી કરવામાં સફળ રહી છે.

કર્ણાટકમાં એક વર્ષથી ભાજપના નેતા હલાલા, હિજાબથી લઈને અઝાન સુધીના મુદ્દા ઉઠાવતા રહ્યા. ચૂંટણીની અણીએ બજરંગબલીની પણ એન્ટ્રી થઈ ગઈ, પરંતુ ધાર્મિક ધ્રુવીકરણના આ પ્રયાસ ભાજપને કામ ન આવી. કોંગ્રેસે બજરંગ દળ પર બેનનો વાયદો કર્યો, તો ભાજપે બજરંગ દળને સીધી રીતે બજરંગબલી સાથે જોડી દીધું અને આખો મુદ્દો ભગવાનના અપમાનનો બનાવી દીધો. ભાજપે જોરદાર હિન્દુત્વ કાર્ડ ખેલ્યો, પરંતુ આ દાવ પણ કામ ન આવ્યો.

કર્ણાટકમાં ભાજપને ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા આ વખત ચૂંટણીથી દૂર રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીની ટિકિટ કપાઈ તો બંને જ નેતા કોંગ્રેસમાં સામેલ થઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા, યેદિયુરપ્પા, શેટ્ટાર અને સાવદી ત્રણેય જ લિંગાયત સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે, જેમને નજરઅંદાજ કરવું ભાજપને મોંઘું પડ્યું.

કર્ણાટકમાં ભાજપની હારનું મોટું કારણ સત્તા વિરોધ લહેરની કાટ ન શોધી શકવાનું પણ રહ્યું છે. ભાજપના સત્તામાં રહેવાના કારણે તેની વિરુદ્ધ લોકોમાં નારાજગી હતી. ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હાવી રહી, જેને પહોંચીવળવામાં ભાજપ પૂરી રીતે નિષ્ફળ રહી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.