શું ફરી સાઉથથી થશે કોંગ્રેસનું કમબેક? મુશ્કેલીમાં ઇન્દિરા ગયા હતા, સોનિયાએ..

કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત હાંસલ કરી છે. રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસનું નસીબ ખરાબ હોવા પર તેને દક્ષિણ ભારતથી નવજીવન મળ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ શનિવારે ફરી એક વખત આ વાત સાબિત કરી દીધી કે, બે સામાન્ય ચૂંટણી અને ઘણી વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક હાર પછી ફરી એક વખત નવો જોમ ફૂંકવમાં માટે તનતોડ મહેનત કરી રહેલી આ જૂની પાર્ટીને ખૂબ મહત્ત્વપૂર્ણ અવસર આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ, જે પાર્ટીના સંચાર પ્રભારી પણ છે, તેમણે દક્ષિણથી પાર્ટીના પુનરુત્થાન પેટર્ન પર પ્રકાશ નાખ્યો. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, ચિકમંગલૂર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી માટે આ એક અસાધારણ પરિણામ છે, જે ભાજપનું ગઢ બની ગયું હતું. તેણે ત્યાંની 5માંથી બધી 5 સીટો પર જીત હાંસલ કરી. વર્ષ 1978માં ઇન્દિરા ગાંધીએ ચિકમંગલૂરથી ચૂંટણી જીતીને રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીના પુનરુત્થાનની શરૂઆત કરી હતી. ઇતિહાસ જલદી જ પોતાનું પુનરાવર્તન કરશે.

વર્ષ 1975માં ઇમરજન્સી લગાવ્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વર્ષ 1977માં સામાન્ય ચૂંટણીમાં હારી ગયા હતા. અહીં સુધી કે પોતાની ઉત્તર પ્રદેશની રાયબરેલી સંસદીય સીટથી પણ તેઓ હારી ગયા હતા. સામાન્ય ચૂંટણીમાં અપમાનજનક હાર બાદ ઇન્દિરા ગાંધીએ પાર્ટીના પુનરુત્થાન માટે દક્ષિણ ભારત જવાનો નિર્ણય લીધો અને એક વર્ષ બાદ તેમણે ચિકમંગલૂર સંસદીય સીટથી લોકસભાની પેટાચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેઓ વર્ષ 1978ની પેટાચૂંટણીમાં ચિકમંગલૂરથી જીત્યા અને સંસદમાં ફર્યા અને પછી વર્ષ 1980ની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તર પર વાપસી કરી.

વર્ષ 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ 90ના દશકના અંતમાં ફરી એક વખત પોતાના અસ્તિત્વ માટે પડકારનો સામનો કરનારી કોંગ્રેસે કર્ણાટકથી ફરી એક વખત પોતાના ભાગ્યનો ઉદય જોયો. રાજીવ ગાંધીના મોત બાદ તેમના પત્ની સોનિયા ગાંધીએ રાજનીતિથી દૂરી બનાવી લીધી હતી. જો કે, નબળી થઈ રહેલી પાર્ટીને ફરી મજબૂત કરવા માટે વર્ષ 1998માં તેમને રાજનીતિમાં પ્રવેશ કરવા મજબૂર થવું પડ્યું. સોનિયા ગાંધીએ ત્યારે વર્ષ 1999ની લોકસભાની ચૂંટણી કર્ણાટકના બેલ્લારી અને ઉત્તર પ્રદેશની અમેઠીથી લડવાનો નિર્ણય લીધો અને બંને સીટ પર જીત હાંસલ કરી.

તેમણે બેલ્લારીમાં ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજને હરાવ્યા. જો કે, બંને સીટ પરથી જીત્યા બાદ તેમણે લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું. વર્ષ 1999માં જીત્યા બાદ સોનિયા ગાંધી વર્ષ 2004માં કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ને સત્તામાં વાપસી કરાવી, જે મનમોહન સિંહના વડાપ્રધાનના રૂપમાં સતત 2 વખત સત્તામાં રહી. વર્ષ 2023માં કર્ણાટક ચૂંટણી અને ચિકમંગલૂરની બધી 5 સીટો પર જીતે કોંગ્રેસને નવી આશા આપી છે જે 9 વર્ષમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, જ્યાં તે ઘણા રાજ્યોમાં સત્તાથી બહાર થઈ ગઈ અને બે લોકસભાની ચૂંટણી પણ હારી ગઈ. કોંગ્રેસ વર્તમાનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં પોતાના દમ પર સત્તામાં છે. બિહાર અને ઝારખંડમાં તે સરકારમાં ભાગીદાર છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.