સૂરજેવાલાએ ભાજપ સમર્થકોને કહ્યા રાક્ષસ પ્રવૃત્તિ વાળા, હું શ્રાપ આપું...

કોંગ્રેસના રાજ્યસભાના સંસદ રણદીપ સૂરજેવાલાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થકો અને વૉટરોને રાક્ષસી પ્રવૃત્તિના બતાવ્યા છે. તેઓ હરિયાણાના કેથલ પહોંચ્યા હતા. અહી તેમણે કહ્યું કે, ભાજપને વૉટ આપનારા અને તેમના સમર્થક રાક્ષસી પ્રવૃત્તિના છે. હું મહાભારતની ધરતીથી તેમને શ્રાપ આપું છું. સૂરજેવાલાના આ નિવેદન પર ભાજપ ગુસ્સે થઈ ગઈ છે. ભાજપ નેતા અમિત માલવીયએ સૂરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ જ માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેમના નેતા જનાધાર ગુમાવી ચૂક્યા છે.

રણદીપ સૂરજેવાલા હરિયાણાના કેથલમાં જનસભા સંબોધિત કરી રહ્યા હતા. અહી તેમણે બેરોજગારીના મુદ્દા પર ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, યુવા ન્યાય માગવા માટે ગરમીમાં ચાલતા ડરતા નથી, પરંતુ તેઓ આ સરકારના અત્યાચારથી ડરે છે. આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમી રહી છે. આ જ કારણ છે કે અમે યુવાઓ માટે ન્યાય માગવા માટે 17 કિલોમીટર પગપાળા ચાલ્યા. તમે તેમની પાસે પરીક્ષામાં બેસવાનો અવસર પણ છીનવી રહ્યા છો.

તેમણે કહ્યું કે, ભાજપ અને JJP રાક્ષસોની પાર્ટીઓ છે, જે લોકો ભાજપને વૉટ આપે છે અને તેમનું સમર્થન કરે છે તેઓ પણ રાક્ષસી પ્રવૃત્તિના છે. આજે મહાભારતની આ ભૂમિ પર હું તેમને (ભાજપ-JJP)ને શ્રાપ આપું છું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રણદીપ સૂરજેવાલા પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે રાક્ષસ પરિવારમાં જન્મેલ વ્યક્તિ જ એવી ભાષા બોલી શકે છે, આ અસંસદીય ભાષા છે, અમે તેના પર જરૂર ધ્યાન આપીશું. સૂરજેવાલાના આ નિવેદન પર ભાજપ ગુસ્સે ભરાઈ છે.

ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. ભાજપના IT સેલના હેડ અમિત માલવીયએ ટ્વીટ કરી, રાહુલ ગાંધીના ખાસ સૂરજેવાલા ભાજપને વૉટ આપનારાઓને રાક્ષસ કહી રહ્યા છે. શ્રાપ પણ આપી રહ્યા છે! કોંગ્રેસ, તેમના હાઇકમાન અને દરબારીઓની આ જ માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેમના નેતા જનાધાર ગુમાવી ચૂક્યા છે. પરંતુ અત્યારે તો તેમણે જનતાના દરબાર આગળ અપમાનિત થવાનું છે.

મધ્ય પ્રદેશની શિવરાજ સરકારમાં મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે લોકતંત્રમાં તો જનતા ભગવાન હોય છે, પરંતુ કોંગ્રેસના લોકો તેમને રાક્ષસ કહી રહ્યા છે. 10 જનપથના ઉમટા પર નાક રગડનારા લોકોની માનસિકતા તેનાથી ખબર પડે છે. પોતે ખરાબ રીતે ચૂંટણી હારી ચૂક્યા છે, સૂરજેવાલા શું ભગાવન થઈ ગયા જે શ્રાપ આપી રહ્યા છે હવે જનતા ચૂંટણીમાં તમને શ્રાપ આપશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.