માત્ર 6 ઇંચ જમીન માટે કોન્સ્ટેબલની હત્યા, ફોન કરવા પર પણ ન આવી પોલીસ

મુઝફ્ફરપુરમાં પાડોશી સાથે 6 ઇંચ જમીન માટે વિવાદને લઈને બિહાર પોલીસના જવાનની મારી મારીને હત્યા કરી દેવામાં આવી. 3 દિવસથી પીડિત પરિવાર સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને જમીની વિવાદની જાણકારી આપી રહ્યો હતો. એ છતા પોલીસ બેદરકારી રાખી રહી હતી. હવે આ વાતને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે. જિલ્લાના કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે. યદૂ છપરા ગામના રહેવાસી દીપેન્દ્ર કુમાર સિંહ (ઉંમર 53 વર્ષ) બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)માં કોન્સ્ટેબલના પદ પર કાર્યરત છે.

તેઓ પટનામાં પોસ્ટેડ હતા અને હાલમાં રજા લઈને પોતાના ગામમાં આવ્યા હતા. અહી પોતાના પાડોશી સાથે તેમનો 6 ઇંચ જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, દીપેન્દ્ર કુમાર સિંહ છેલ્લા 3 દિવસોથી સતત પોલીસને ફોન કરીને ઘટનાથી અવગત કરાવી રહ્યા હતા, પરંતુ પોલીસ કોઈ સખત પગલાં ઉઠાવી રહી નહોતી. પોલીસની આ બેદરકારીના કારણે તેની મારી મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ આક્રોશીત પરિવારજનો અને ગ્રામજનોએ નેશનલ હાઇવે નંબર-27 જામ કરી દીધો અને આરોપીઓની ધરપકડની માગ કરવા લાગ્યા.

ઘટનાની જાણકારી બાદ DCP પશ્ચિમ અભિષેક આનંદ અને કાંટી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સંજય કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. આક્રોશીત પરિવારજનો અને ગ્રામજનોને સમજાવીને શાંત કરાવ્યા. ત્યારબાદ શબને પોસ્ટમોર્ટમ માટે SKMCH મોકલી દેવામાં આવ્યું. મૃતકના ભત્રીજા સંજય કુમારે જણાવ્યું કે, પોતાના પાડોશી રાહુલ, રાકેશ અને શિવમ સાથે દીપેન્દ્રનો જમીની વિવાદ ચાલી રહ્યો હતો. માત્ર 6 ઇંચ જમીનનો વિવાદ હતો. ઘરની બાજુમાં ખાલી જમીન પર પાડોશી નિર્માણ કરી રહ્યા હતા. તેના માટે રોજ ઝઘડો અને ગાળાગાળી થતા હતા.

દીપેન્દ્ર જ્યારે પોતાના પાડોશીઓ સાથે તેના માટે વાત કરવા ગયા તો લાકડીથી મારી મારીને તેની હત્યા કરી દેવામાં આવી. DSP પશ્ચિમ અભિષેક આનંદે જણાવ્યું કે, જાણકારી મળી કે કાંટી પોલીસ સ્ટેશન ક્ષેત્રના યદૂ છપરા ગામમાં બિહાર પોલીસના જવાન દીપેન્દ્ર કુમાર સિંહની ડેડબોડી તેના ઘર પાસેથી જ મળી છે. પરિવારજનોએ જણાવ્યું કે, પોતાના પાડોશી સાથે તેમનો જમીન વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને સતત ફોન કરી રહ્યા હતા, પરંતુ પોલીસે શું કાર્યવાહી કરી? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.