નવા એન્જિન સાથે જૂની ટ્રેન જોડી દીધી, CM બેનર્જી વંદેભારત એક્સપ્રેસ વિશે બોલ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો છે કે, વંદેભારત એક્સપ્રેસ પર પત્થરમારો તેમના રાજ્યમાં નહીં પણ, પડોસી રાજ્ય બિહારમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી કરશે, જેણે ઘટનાના પશ્ચિમ બંગાળમાં થવાની જૂઠ્ઠી ખબરો ફેલાવી છે.

બેનર્જીએ સાગર આઇલેન્ડમાં પત્રકારોને કહ્યું કે, વંદે ભારત પર પત્થરમારો પશ્ચિમ બંગાળમાં નહીં પણ બિહારમાં કરવામાં આવ્યો છે. અમે એ મીડિયા ચેનલ વિરૂદ્ધ કાર્યવાહી કરીશું, જેમણે ઘટનાના પશ્ચિમ બંગાળમાં થયાની જૂઠ્ઠી ખબરો ફેલાવી છે અને અમારા રાજ્યને બદનામ કર્યું છે. તેમણે કહ્યું છે કે, વંદે ભારત કંઇ નહીં પણ એક જૂની ટ્રેન છે, જેને નવા એજિનની સાથે જોડી દેવામાં આવી છે અને નવું રૂપ આપવામાં આવ્યું છે. મમતા બેનર્જી 8મી જાન્યુઆરીથી શરૂ થનારા ગંગાસાગર મેળાની તૈયારીઓ જોવા માટે બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, બિહારના લોકો નારાજ થઇ શકે છે, કારણ કે, તેમને પણ વંદે ભારત ટ્રેન જોઇતી હતી. ફક્ત એટલા માટે કે ત્યાં ભાજપ સત્તામાં નથી, તેનો મતલબ એ નથી કે, તેમને ટ્રેન ન મળવી જોઇએ. પશ્ચિમ બંગાળને લઇને ફેક ન્યુઝ ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષ રાજ્યની નેગેટિવ ઇમેજ બનાવી રહ્યા છો, આ સવાલનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, જો કોઇની પાસે કામ નથી, તો તેઓ શું કરશે? તેઓ ગુમરાહ કરી રહ્યા છે. કેન્દ્રમાં તમારી સરકાર છે. અમે હંમેશા સાથે કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંધિય સ્ટ્રક્ચર છે. એમ ન વિચારો કે આ તમારો એકાધિકાર છે. આ આપણા દરેકનો અધિકાર છે.

હાવડા અને ન્યુ જલપાઇગુડીને જોડનારી વંદે ભારત એક્સપ્રેસ પર મંગળવારે બીજી વખત પત્થરમારો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30મી ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડા સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે અધિકારીઓએ ગુરુવારે દાવો કર્યો હતો કે, તેમણે ટ્રેન પર પત્થરમારો કરનારાની ઓળખ કરી લીધી છે. ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઇ ગયું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.