જાણો અમેરિકામાં કેર મચાવનાર કોરોનાના XBB.1.5 વેરિયન્ટના દેશમાં કેટલા કેસ

અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં તેજી માટે જવાબદાર કોરોના વાયરસના XBB.1.5 વેરિયન્ટના કેસોની સંખ્યા ભારતમાં 26 થઇ ગઇ છે. ઇન્ડિયા સાર્સ કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના આંકડાઓથી આ જાણકારી મળી છે. INSACOGએ સોમવારે (16 જાન્યુઆરીના રોજ) કહ્યું કે, XBB.1.5 વેરિયન્ટના કેસ અત્યાર સુધી 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મળ્યા છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સામેલ છે. INSACOG સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એક મંચ છે, જેને 30 ડિસેમ્બર 2020ના રોજ સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે દેશમાં જીનોમ સિક્વેન્સિંગ અને કોરોનાના સર્ક્યૂલેટિંગ સ્ટેટના વાયરસ વેરિયન્ટની સ્ટડી અને મોનિટરિંગ કરે છે.

XBB.1.5 વેરિયન્ટ ઓમીક્રોનના XBB વેરિયન્ટનો એક રિલેટિવ છે, જે ઓમીક્રોન BA.2.10.1 અને BA.2.75 સબ વેરિયન્ટનો હિસ્સો છે. XBB અને XBB.1.5 વેરિયન્ટના અમેરિકામાં 44 ટકા કેસ છે. INSACOG ડેટાએ એ પણ જણાવ્યું છે કે, અત્યાર સુધી ભારતમાં BF.7 વેરિયન્ટના પણ 14 કેસ મળ્યા છે. આ વેરિયન્ટે ચીનમાં કેર વર્તાવી રાખ્યો છે. ઓમીક્રોન સબ વેરિયન્ટ BF.7ના પશ્ચિમ બંગાળમાં 4, મહારાષ્ટ્રમાં 3, હરિયાણા અને ગુજરાતમાં 2-2 અને ઓરિસ્સા, દિલ્હી અને કર્ણાટકમાં 1-1 કેસ સામે આવ્યા છે.

INSACOGએ ભારતમાં આવનાર આંતરરાષ્ટ્રીય મુસાફરોના નમૂનાઓના અનુક્રમણના માધ્યમથી આખા દેશમાં સાર્સ-કોવ-3ની જિનોમિક દેખરેખનો રિપોર્ટ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના આંકડાઓ મુજબ 24 કલાકમાં 114 નવા કોરોનાના કેસ મળ્યા છે. તો સક્રિય કેસ ઘટીને 2,119 થઇ ગયા છે. દેશમાં કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,81,154) છે. સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોઇ પણ કોરોનાથી સંબંધિત મોતની જાણકારી મળી નથી. કોરોનાથી અત્યાર સુધી મૃત્ય પામનારા લોકોની સંખ્યા 5 લાખ 30 હજાર 726 છે, જ્યારે મૃત્યદર 1.19 ટકા નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, કોરોનાથી સારા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધી 4,41,48,309 લોકો કોરોનાથી સારા થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના હવે ધીરે-ધીરે સમાપ્ત થવા પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના ગ્રાફમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારની તુલનામાં સોમવારે ફરી એક વખત કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 114 કેસ સામે આવ્યા હતા. 

About The Author

Related Posts

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.