વેલેન્ટાઇન ડેના દિવસે 'કાઉ હગ ડે' નહીં ઉજવાય, સરકારે અપીલ પાછી ખેંચી

કેન્દ્ર સરકારે વિપક્ષના વિરોધ વચ્ચે 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે ઉજવવાની અપીલ પાછી ખેંચી લીધી છે. અગાઉ, સરકાર હેઠળના એનિમલ વેલફેર બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'ગાય હગ ડે' ઉજવવાની અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ ભારતમાં આ વખતે આ દિવસને લઈને ખાસ અપીલ કરવામાં આવી હતી, જેની ચર્ચા સોશિયલ મીડિયાથી લઈને રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) જેવા ઘણા વિરોધ પક્ષોએ 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે મનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ સરકારે હવે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.

શિવસેનાએ 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે ઉજવવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે, અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ મોદી માટે પવિત્ર ગાય સમાન જ છે.

TMC સાંસદ શાંતનુ સેને કહ્યું કે, 'ગાય હગ ડે' હિન્દુત્વનો દેખાડો અને દેશભક્તિનો દેખાડો છે, જેનો ઉદ્દેશ્ય મુખ્ય પ્રવાહના મુદ્દાઓથી ધ્યાન હટાવવાનો છે. દરમિયાન, CPI(M)ના નેતા ઈલામારામ કરીમે 'ગાય હગ ડે'ને દેશ માટે હાસ્યાસ્પદ અને શરમજનક ખ્યાલ ગણાવ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રજની પાટીલે કહ્યું કે હું પણ એક ખેડૂત પરિવારમાંથી છું. હું મારી ગાયને રોજ ગળે લગાવું છું, માત્ર એક દિવસ માટે નહીં. આ પગલું બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે છે.

એનિમલ વેલ્ફેર બોર્ડે 6 ફેબ્રુઆરીના રોજ બહાર પડેલા અપીલ પત્રમાં પણ આની પાછળ દલીલો આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે આપણા જીવનને ટકાવી રાખે છે. પ્રાણી સંપત્તિ અને જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને સર્વસ્વ પ્રદાન કરનાર માતા જેવા પોષક સ્વભાવને કારણે તે 'કામધેનુ' અને 'ગૌમાતા' તરીકે ઓળખાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા એ ભારત સરકારની સંસ્થા છે. આ સંસ્થાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રાણીઓના કલ્યાણ માટે માર્ગદર્શિકા અને નીતિઓ ઘડવામાં મદદ કરવાનું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.