ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની છે સરકાર? કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું સત્ય

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હાલમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનો કોઇ ઇરાદો નથી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ સોમવારે સંસદમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને સરકારને રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા આપવા ઇરાદો રાખતી નથી. જી કિશન રેડ્ડી ભાજપના સાંસદ ભાગીરથ ચૌધરી તરફથી ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. ભાગીરથ ચૌધરીએ પૂછ્યું હતું કે શું સરકાર ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ‘ગૌમાતા’ને રાષ્ટ્રીય પશુના રૂપમાં માન્યતા આપવાની છે?

કિશન રેડ્ડીએ તેનો જવાબ આપ્યો કે, ભારત સરકારે વાઘ અને મેરને રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી તરીકે માન્યતા આપી છે. આ બંને જીવોને વન્ય જીવન (સંરક્ષણ) અધિનિયમ 1972ની અનુસૂચિ-Iમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર MoEF&CCના સત્તાવાર રેકોર્ડમાં દાખલઅંદાજી કરી રહી નથી. મંત્રાલયે 30 મે 2011ના રોજ વાઘ અને મોરને રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી તરીકે ફરીથી અધિસૂચિત કર્યા હતા. તેને જોતા હાલના અધિનિયમમાં કોઇ બદલાવ લાવવામાં આવી રહ્યો નથી.

સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીને એવું પૂછવામાં આવ્યું કે શું અલ્લાહબાદ અને જયપુર હાઇ કોર્ટ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પ્રક્રિયામાં તેજી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો? તેના જવાબમાં કિશન રેડ્ડીએ કહ્યું કે આ બાબતે રાજ્યના વિધાયી અધિકારીઓના હાથે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસને જોતા પશુપાલન અને ડેરી વિભાગ પશુઓની સ્વદેશી પ્રજાતિઓના વિકાસ અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન લાગૂ કરી રહ્યો છે. આ મિશનનું ઉદ્દેશ્ય દેશના પશુઓ સહિત સ્વદેશી પ્રજાતિઓમાં વધારો લાવવાનો છે.

સાથે જ ગાય અને તેની બચ્ચા સહિત પશુઓની સુરક્ષા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવી છે. બીજી તરફ લોકસભાએ સોમવારે અનુસંધાન રાષ્ટ્રીય શોધ પ્રતિષ્ઠાન બિલ 2023ને પાસ કરી દીધું. તેમાં આખા દેશની યુનિવર્સિટીઓમાં અનુસાંધાનને નાણાકીય પોષિત કરવા માટે રાષ્ટ્રીય પ્રતિષ્ઠાન સ્થાપિત કરવાનું પ્રવધાન છે. સદનમાં સંક્ષિપ્ત ચર્ચા અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહના જવાબ બાદ આ બિલને ધ્વનિમતે મંજૂરી આપવામાં આવી. ચર્ચા દરમિયાન ઘણા વિપક્ષી પાર્ટીઓના સભ્ય સદનમાં ઉપસ્થિત નહોતા  સિંહે નીચલા સદનમાં સંક્ષિપ્ત ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું એક બિલ માનવ સંસાધનો અને નાણાકીય પોષણનું લોકતંત્રીકરણ કરવા માટે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.