સહારામાં જો તમારા રૂપિયા ફંસાયેલા હોય તો આ રીતે પરત મળી શકે છે

સહારામાં રોકાણ કરનારા 10 કરોડ રોકાણકારોને આજે મોટા સમાચાર મળ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 18 જુલાઇ એટલે મંગળવારે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. આ પોર્ટલ દ્વારા સહારામાં રોકાણ કરનારા રોકાણકારોના પૈસા પાછા મળશે. આ રિફંડ પોર્ટલના મધ્યથી એ રોકાણકારોની રકમ પછી મળશે, જેમની રોકાણની મેચ્યોરિટી પૂરી થઈ ચૂકી છે. રિફંડ પોર્ટલ પર રોકાણના પૈસાની વાપસી સાથે જોડાયેલી બધી જાણકારીઓ ઉપલબ્ધ હશે.

સહકારિતા મંત્રી અમિત શાહ આજે દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવનમાં એક એવા પોર્ટલની શરૂઆત કરી રહ્યા છે, જે સહારા ગ્રુપના રોકાણકારો તરફથી ક્લેમ પ્રક્રિયાને સરળ બનાવશે. આ પોર્ટલ પર સહારાના રોકાણકારોના પૈસા પાછા લાવવા માટે પૂરી પ્રોસેસને બતાવી અને સમજાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેને લઈને ઘણા મહિનાઓથી સક્રિય છે. તેમણે તમામ બેઠકો પણ કરી. સરકારે 29 માર્ચે જાહેરાત કરી હતી કે સહારા ગ્રુપના લગભગ 10 કરોડ રોકાણકારોને 9 મહિનાની અંદર પૈસા પાછા મળશે. રોકાણકારોની પરેશાનીને જોતા મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી લીધી હતી. સરકારના આ નિર્ણયથી 1.1 કરોડ રોકાણકારોને રાહત મળશે.

શું છે વિવાદ?

સહારાનો આ વિવાદ વર્ષ 2009માં શરૂ થયું હતું, જ્યારે સહારાએ પોતાનો IPO લોન્ચ કર્યો અને ત્યારબાદ જ સહારાની હકીકત બહાર આવવા લાગી. SEBIની તપાસમાં ઘણી અનિયમિતતાઓ આવી અને એ વાત સામે આવી કે સહારાએ ખોટી રીતે રોકાણકારોના 24,000 કરોડ રૂપિયાની રકમ ભેગી કરાવવામાં આવી હતી અને આગળની તપાસ બાદ આ એક મોટું કૌભાંડના રૂપમાં સામે આવ્યું. SEBIએ તરત સહારાને રોકાણકારોને તેમના પૈસા વ્યાજ સહિત પાછા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, ત્યારબાદ કે કોર્ટમાં ગયો અને ગુંચવાતું જતું રહ્યું. આ વિવાદના કારણે ખાતામાં જમા 24 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફસાયેલું હતું. તેનાથી રોકાણકાર ખૂબ પરેશાન છે.

આ કો-ઓપરેટિવ સોસાયટીના રોકાણકારો જ કરી શકશે અરજી:

સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ

સહારાયન યૂનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ

અમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ

સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.