માયાવતીના બર્થડે પર કેકની લૂંટ, છીનવીને ભાગ્યા લોકો, એક-બીજા ઉપર પડ્યા

ઉત્તર પ્રદેશના સંભલમાં બહુજન સમાજ પાર્ટી (BSP) અધ્યક્ષ માયાવતીના જન્મ દિવસ પર બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓએ કેક કાપીને જન્મદિવસ મનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેકની પડાપડીને લઇને ખૂબ લૂંટ માર ચાલી. પરિસ્થિતિ એવી બની ગઇ કે કેકને છીનવીને લોકો એક-બીજા પર પડી ગયા. કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થાની બોલબાલા જોવા મળી. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીના જન્મદિવસના અવસર પર સંભલ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલ પેલેસમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જન્મદિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ અને બહુજન સમાજ પાર્ટીના નેતા શકીલ કુરૈશીના સંબોધન બાદ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમ માયાવતીની કેક કાપીને કાર્યકર્તાઓએ જન્મદિવસ મનાવ્યો હતો, પરંતુ કાર્યક્રમ દરમિયાન જોરદાર અવ્યવસ્થાનો નજારો જોવા મળ્યો. કેક કાપતા જ ભીડ કેક પર તૂટી પડી અને કેકને લઇને ચારેય તારા પડાપડીનો માહોલ છવાઇ ગયો. લોકો કેક લઇને આમ તેમ ભાગ્યા, તો કેટલાક લોકો એક-બીજા પર પડ્યા. આ દરમિયાન મોટો અકસ્માત થતા બાલ-બાલ બચી ગયો.

કેકને લઇને મચેલી લૂંટને લઇને બહુજન સમાજ પાર્ટીના નેતા શકીલ કુરેશીએ કહ્યું કે, ખુશીના માહોલમાં આ બધુ વ્યાજબી હોય છે કેમ કે તેમાં બધા લોકો પોતાનો હોશ ગુમાવી બેસે છે. રહી વાત અકસ્માતની તો કોઇ પણ અકસ્માત કઇ રીતે થઇ શકે છે, કાર્યક્રમમાં ધક્કા-મુક્કી થાય છે, એક હજાર લોકો આવવાનું અનુમાન હતું, પરંતુ 6-7 હજાર લોકો આવી ગયા હતા. તો માયાવતીએ પોતાના જન્મદિવસ પર સ્પષ્ટ કરી દીધું કે, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી અને આ વર્ષે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ સાથે ગઠબંધન નહીં કરે.

તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે-જ્યારે બેલેટથી મતદાન થયું, બહુજન સમાજ પાર્ટીનો જનાધાર વધ્યો, પરંતુ EVMથી થવા પર તેમાં ફરક પડ્યો છે. તેમણે ભાજપની જીતને EVMની કમાલ કહી છે. તેમણે રવિવારે પાર્ટી કાર્યાલય પર જન્મદિવસના અવસર પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કેટલીક પાર્ટીઓ બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધનનો બ્રહ્મ ફેલાવી રહી છે. એટલે એ સ્પષ્ટ કરી દેવામાં માગું છું કે કોઇ સાથે ગઠબંધન નહીં થાય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.