મુઘલ બાદશાહ ઔરંગઝેબને લઇને કોલ્હાપુરમાં સ્થિતિ બગડી

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં મુઘલ બાદશાહ ઔરંગઝેબને લઈને હોબાળો મચી ગયો છે. કેટલાક છોકરાઓએ ઔરંગઝેબના સમર્થનમાં વૉટ્સએપ સ્ટેટસ લગાવ્યા હતા. તેના પર આપત્તિજનક વાતો પણ લખી હતી. તેનો કેટલાક હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો અને રસ્તા પર ઉતરી આવ્યા. બુધવારે શહેરના ઘણા વિસ્તારોમાં હિન્દુ સંગઠનોના આહ્વાન પર લોકો ભેગા થયા તો સ્થિતિ બેકાબૂ થતી નજરે પડી. હિન્દુ પક્ષ ભેગો થયા બાદ બીજી તરફથી પણ કેટલાક લોકો ઉતરી આવ્યા અને પથ્થરમારો કરવાના સમાચાર આપણ આવ્યા.

સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હિન્દુ સંગઠનોએ પહેલાથી જ જિલ્લામાં બુધવારે બંધ રાખવાની જાહેરાત કરી હતી. હિન્દુ સંગઠનોના કાર્યકર્તા શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર ભેગા થયા હતા. આ દરમિયાન તેઓ હિંસક થયા તો લાઠીચાર્જ કરવામાં આવ્યો. રાજ્યના માયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે બધાને અપીલ કરીએ છીએ કે શાંતિ બનાવી રાખે.

એકનાથ શિંદેએ કહ્યું કે, વિવાદિત વૉટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનારા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. વૉટ્સએપ સ્ટેટસ મુકનારા 3 છોકરા સગીર વયના છે. એ તપાસ કરવામાં આવશે કે, એક જ સમય પર ત્રણેય લોકોએ એક જેવા સ્ટેટસ કેમ મૂક્યા. એ વાતની તપાસ થશે કે શું આ લોકો પાછળ કોઈનો હાથ છે કે કોઈએ તેમને તેના માટે પ્રેરિત કર્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આપણી જવાબદારી છે કે શાંતિ બનાવી રાખવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, આપણાં માટે શિવાજી અને સંભાજી આરાધ્ય છે. ઔરંગઝેબના વખાણ કરનારાઓને છોડવામાં નહીં આવે. ઔરંગઝેબ પર લગાવવામાં આવેલા સ્ટેટસથી ગુસ્સે ભરાયેલા લોકોએ સખત કાર્યવાહીની માગ કરી અને જોરદાર નારેબાજી પણ થઈ. હાલમાં પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

શહેરના ટાઉન હૉલ, હિન્દુ ચોક અને કેટલાક અન્ય વિસ્તારોમાં પણ હિંસાની હાલત બનેલી છે. એવા સમાચાર છે કે ભીડે લક્ષ્મીપુરી મંડઇ, અકબર મોહલ્લા, મુસ્લિમ બોર્ડિંગ, CPR હૉસ્પિટલ વિસ્તારમાં પણ પથ્થરમારો કર્યો. પોલીસે સ્થિતિને બગડતી જોઈને કેટલાક લોકોને નજરબંદ પણ કર્યા છે જેથી સ્થિતિ વધુ ન બગડી શકે. હાલમાં આખા મામલે રાજ્યના DGP અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ એક્ટિવ થઈ ગયા છે અને સ્થિતિની જાણકારી મેળવવમાં આવી રહી છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.