દીકરી પ્રેમી સાથે ભાગી જતા પરિવારે તેની તેરમીનો શોક સંદેશ વાયરલ કરી દીધો

રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક યુવતી જ્યારે તેના પ્રેમી સાથે ભાગી ગઈ ત્યારે પરિવાર ગુસ્સે થઈ ગયો અને એક શોક પત્રિકા છપાવી. આટલું જ નહીં, યુવતીના પરિવારજનોએ પ્રેતભોજનનું પણ આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર પરિવારના સભ્યો દ્વારા છપાયેલ શોક સંદેશ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરિવારે 13 જૂનના રોજ પ્રેતભોજન સમારોહનું આયોજન કર્યું છે.

આ મામલો રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મંગરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપુરા ગામનો છે. અહીં એક યુવતી તેની જ જ્ઞાતિના પ્રેમી છોકરા સાથે ભાગી ગઈ હતી. પરંતુ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસે છોકરીને શોધી કાઢી હતી. પોલીસ છોકરીને ઘરે લઈ આવી હતી પરંતુ છોકરીએ તેના પરિવારજનોને ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પરિવારજનો તેના પર ગુસ્સે થઇ ગયા અને તેને મરી ગયેલી માની લીધી હતી.

આ પછી, પરિવારે પુત્રીના નામે એક શોક સંદેશ છપાવીને તેના ઓળખીતા મિત્રો અને સગા સંબંધીઓને મોકલી આપ્યો છે. 13 દિવસ પછી, છોકરીનો પ્રેતભોજન સમારોહ રાખવામાં આવ્યો છે. શોક સંદેશમાં એવું લખવામાં આવ્યું છે કે, 'અત્યંત દુ:ખ સાથે જણાવવામાં આવે છે કે, નારાયણલાલજીની સુપૌત્રી અને ભૈરુલાલ લાઠીજીની સુપુત્રી સુશ્રી પ્રિયા જાટનું 1 જૂન, 2023ના રોજ નિધન થયું છે, જેમની પીહર ગૌરણી શનિવાર, 13 જૂન, 2023ના રોજ સવારે 9 વાગ્યે રાખવામાં આવ્યું છે, તો પધારસો, સંવત 2080!'

અહીં તમને જણાવી દઈએ કે, શોક સંદેશ પર કાર્યક્રમનું સ્થળ પણ લખવામાં આવ્યું છે. અહીં તમને બતાવી દઈએ કે, જ્યારે છોકરી ઘરેથી ભાગી ગઈ હતી, ત્યારે પરિવારના સભ્યોએ હમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારપછી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પરંતુ હવે પરિવારે જ પોતાની પુત્રીનો શોક સંદેશો છપાવી દીધો છે.

સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મનીષ ચૌધરી નામના યુવકે ટ્વિટ કર્યું, 'ભીલવાડાના રતનપુરા ગામમાં ભેરુલાલ જી લાઠીની સુપુત્રી પ્રિયા જાટ 18 વર્ષની થતાં જ તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. અને પોલીસ સ્ટેશનમાં તેના માતા-પિતા વિષે જણાવ્યું કે, હું તેમને ઓળખતી નથી. આ પછી પરિવારે તેમના શોક સંદેશાનું વિતરણ કર્યું. ખૂબ જ સારી પહેલ, આવા બાળકો માટે આ જ સારું છે.'

બીજી તરફ અમૃતવાણી ચૌધરીએ કહ્યું, 'આ ખોટું છે, માતા-પિતાએ છોકરીને મળવું જોઈએ અને તેને સમજાવવું જોઈએ. મને લાગે છે કે તે છોકરી પરિપક્વ નથી અને તેણે ખોટું પગલું ભર્યું છે. પરંતુ માતા-પિતા તો પરિપક્વ છે. તેને ભવિષ્યમાં આવનાર દરેક સાચી અને ખોટી પરિસ્થિતિ વિશે સમજાવવું જોઈએ.'

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.