ગૌતસ્કરીના આરોપમાં 2 લોકોને જીવતા સળગાવી દેવાયા, બજરંગ દળના લોકો પર આરોપ

હરિયાણાના ભિવાનીમાં સળગેલી બોલેરોમાં 2 કંકાલ મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ. હવે આ અંગે મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૌતસ્કરીના આરોપમાં 2 લોકોને પહેલા મારવામાં આવ્યા અને પછી જીવતા સળગાવી દીધા. આ ઘટનાને અંજામ આપવાનો આરોપ બજરંગ દળ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. મૃતકના પિતરાઇ ભાઇ ઇસ્માઇલે આ અંગે રાજસ્થાન પોલીસમાં FIR નોંધાવી છે. હરિયાણાના ભિવાનીમાં લોહારું પોલીસ સ્ટેશન વિસ્તારના બારવાસ ગામમાં પોલીસની ઘણી ટીમના ઉચ્ચ અધિકારી અને FSLની ટીમ ઘટનાસ્થળ પર તપાસ કરવા માટે પહોંચી હતી.

પોલીસની ટીમ ગાડીના ચેચિસ નંબરના આધાર પર બોલરોનું રજીસ્ટ્રેશન નંબર જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સળગેલી ગાડી જોઇને ગ્રામજનોએ ડાયલ 112 પર સૂચના આપી દીધી હતી. આ દરમિયાન પોલીસ પાસે મૃતકોનો પિતરાઇ ભાઇ પહોંચ્યો અને તેણે ઘટનાની જાણકારી આપી ત્યારે પોલીસને ઘટનાની ખબર પડી અને હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. ભરતપુર જિલ્લામાં ભોપાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાટમીકાના રહેવાસી ખાલિદે ગોપાલગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તેમાં તેણે કહ્યું કે, તેના પિતરાઇ ભાઇ જુનૈદ અને નાસિર 15 ફેબ્રુઆરીની સવારે લગભગ 5 વાગ્યે પોતાની બોલેરો ગાડી નંબર HR 28E 7763થી પોતાના કોઇ કામથી હરિયાણાના ફિરોઝાપુર ઝિરકા ગયા હતા. સવારે લગભગ 9 વાગ્યે એક ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. ખાલિદે જણાવ્યું કે, તો એક અજાણ્યાએ જણાવ્યું કે આજે સવારે લગભગ 6:00 વાગ્યે 2 વ્યક્તિ એક બોલેરો ગાડીમાં બેસીને ગોપાલગઢના જંગલમાં જઇ રહ્યા હતા. તેમને 8-10 અજાણ્યા આરોપીઓએ ઢોર માર માર્યો છે, જે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.

મારામારી કરનારા લોકો જુનેદ અને નાસિરને તેમની જ બોલેરો ગાડી લઇ ગયા. ત્યારબાદ તેમને જીવતા સળગાવી દીધા. પીડિતે તરત જ પોતાના પિતરાઇ ભાઇ જુનેદ અને નાસિરને ફોન કર્યો તો બંનેના મોબાઇલ બંધ મળ્યા. ત્યારબાદ તેણે પરિવારજનોને ઘટના બાબતે જણાવ્યું. પરિવારજનો એક ગાડીથી ફિરોઝપુર મારી પાસે આવી ગયા. ત્યાંથી અમે જંગલમાં પહોંચ્યા તો ત્યાં કેટલાક વ્યક્તિ મળ્યા તેમજ ઘટનાસ્થળ પર તૂટેલા કાચ મળ્યા.

એ લોકોએ જણાવ્યું કે, 8-10 આરોપીઓએ 2 લોકોને ઢોર માર માર્યો. તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી. ત્યારબાદ મારનારા લોકોએ જ તેમની બોલેરો ગાડીમાં બંનેનું અપહરણ કરીને લઇ ગયા. ઘટાનસ્થળ પર મળેલા લોકોને આરોપીઓના નામ પૂછવા પર તેમણે જણાવ્યું કે, કથિત રૂપે તેઓ બજરંગ દળના લોકો છે. ઘટનામાં પોલીસે અનિલ નિમૂલનાથ, શ્રીકાંત નિમરોડા, લોકેશ, રિન્કુ સેની અને મોનૂ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.