માતા-બહેનની સારવાર માટે કરૌલી આશ્રમ લાવ્યો હતો, ઝાડ સાથે લટકતુ મળ્યુ દીકરાનું શવ

પશ્ચિમ બંગાળમાં રહેતો એક યુવક કાનપુરના કરૌલી આશ્રમ ગયો હતો, પોતાની મમ્મી અને બહેનની સારવાર કરાવવા માટે. 3 જુલાઈને સોમવારે આશ્રમથી અઢી કિલોમીટર દૂર તે યુવકનું શવ ઝાડ પર લટકતું મળી આવ્યું. પરિવારજનોનું કહેવુ છે કે, યુવક ડિપ્રેશનમાં હતો અને આ પહેલા પણ તે પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કરી ચુક્યો હતો. મામલા પર આશ્રમ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મૃતકનું નામ અજય ચૌહાણ (30) છે. તે પશ્ચિમ બંગાળના દિનાજપુરનો રહેવાસી હતો. તેની મમ્મી લલિતા અને બહેન રીના ચૌહાણની તબિયત સારી નહોતી. આથી તે તેમની સારવાર માટે કાનપુરમાં બિધનૂ વિસ્તારના કરૌલી આશ્રમમાં લઈ ગયો. પરંતુ, સોમવારે અચાનક અજયનું શવ આશ્રમથી થોડે દૂર સ્થિત પિપરાઇચમાં મળ્યું. ACP દિનેશ શુક્લાએ જણાવ્યું કે, શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘરના સભ્યોએ કોઇના પર આરોપ નથી લગાવ્યો.

પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ આત્મહત્યાની વાત જ સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અજયને સોશિયલ મીડિયાના માધ્યમથી આશ્રમ વિશે જાણકારી મળી હતી. તે શનિવારે આશ્રમ પહોંચ્યો. પરિવારજનોએ જણાવ્યુ કે, રવિવાર 2, જુલાઈની સાંજે તે શૌચ માટે જવાની વાત કહીને આશ્રમમાંથી નીકળી ગયો અને પાછો ના આવ્યો. તેના પરિવારજનો અજયને શોધતા રહ્યા. પછી બીજા દિવસે તેમને અજયનું શવ મળવાની જાણકારી મળી.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજયના શરીર પર ઇજાના નિશાન હતા અને તેના પગ પર લોહી લાગેલું છે. મૃતકની બહેન રીના ચૌહાણે જણાવ્યું હતું કે, તેનો ભાઈ પોતે પણ બીમાર રહેતો હતો. રીનાએ કહ્યું- તે ડિપ્રેશનનો શિકાર હતો. ખાવાનું કંઈ ખાતો ન હતો. અમે તેને સમજાવતા હતા પરંતુ, તે ચિંતિત રહેતો હતો. લાગે છે કે, આને કારણે જ તેણે સુસાઈડ કરી લીધુ.

મામલામાં કરૌલી આશ્રમના મીડિયા પ્રભારી બૃજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અમારે આ મામલા સાથે કોઈ લેવા-દેવા નથી. કરૌલી આશ્રમથી ખૂબ જ દૂર જઇને તેણે સુસાઇડ કર્યું છે. મને ખબર નહોતી. પોલીસે જ અમને આ અંગે સૂચના આપી. તેઓ અમારે ત્યાં સારવાર કરાવવા આવ્યા હશે. અમને તેની જાણકારી નથી કારણ કે, અહીં દરરોજ હજારો લોકો આવે છે. અમને તેમના મોતનું દુઃખ છે.

આ વર્ષે માર્ચ મહિનામાં જ કાનપુરના કરૌલી આશ્રમમાં ઝારખંડથી આવેલા એક પરિવારના બે સભ્યોના ગાયબ થવાના સમાચાર સામે આવ્યા હતા. 24 જાન્યુઆરીએ આ પરિવાર માનસિક રૂપથી કમજોર દીકરાની સારવાર કરાવવા ત્યાં ગયો હતો. તેમણે કથિતરૂપથી નબળા દીકરાની સારવાર કરાવવા ત્યાં ગયા હતા. તેમણે કથિતરીતે દોઢ લાખનો હવન પણ કરાવ્યો. 26 જાન્યુઆરીએ જ એ જ દીકરો અને બીજા દિવસે તેના પિતા ગૂમ થઈ ગયા. 10 દિવસ બાદ દીકરો 150 કિલોમીટર દૂર એક ગામમાં મળ્યો. જ્યારે પિતાની કોઈ જાણકારી ના મળી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.