કૂતરાનું મોત, સ્મશાન યાત્રા પછી શ્રાદ્ધ..પૂર્વ મંત્રીએ પોતાના વફાદારને આપી વિદાય

બિહાર સરકારની પૂર્વ મંત્રી, પૂર્ણિયાના રુપૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી JDU ધારાસભ્ય બીમા ભારતીએ પોતાના વફાદાર કુતરાના મૃત્યુ પછી માત્ર તેની અંતિમ યાત્રા જ નથી કાઢી, પરંતુ હિંદુ રીતિ-રિવાજો અનુસાર કૂતરાની શ્રાદ્ધ વિધિ કરવાનું પણ નક્કી કર્યું છે. જ્યારે, સોશિયલ મીડિયા પર આને લગતી ઘણી તસવીરો પણ જોવા મળી રહી છે. 

મંત્રીના આ પાલતુ કૂતરાને પરિવારના સભ્યોએ કૃષ્ણા નામ આપ્યું હતું. ગત ગુરુવારે પાળેલા કૂતરા કૃષ્ણાનું મોત થયું હતું. જેને લઇને પરિવારના સભ્યોએ તેને અંતિમ વિદાય આપતા ફૂલોની માળા પહેરાવીને વાંસની નનામી પર ચાર ખભા પર ઘરમાંથી કૃષ્ણાને અંતિમ વિદાય આપી હતી. 

આ દરમિયાન પૂર્વ મંત્રી બીમા ભારતીની આંખોમાંથી સતત આંસુ નીકળતા રહ્યા હતા. જ્યારે આ ક્ષેત્રે કુખ્યાત એવા પતિ અવધેશ મંડલ પણ પેટ ડોગની નનામીને ખભા પર ઊંચકીને રડી પડ્યા હતા. આ સાથે જ પૂર્વ મંત્રી બીમા ભારતીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ કરીને પાળેલા કૂતરા કૃષ્ણને શ્રદ્ધાંજલિ આપી છે. 

પૂર્વ મંત્રી કમ રુપૌલી ધારાસભ્ય બીમા ભારતીએ કહ્યું કે, કૃષ્ણા ઘરનો પ્રિય હતો. ઘરના તમામ સભ્યો તેને પરિવારનો જ એક સભ્ય માનતા હતા. લગભગ 19 વર્ષથી પાલતુ કૂતરો કૃષ્ણા પરિવારના સભ્યો સાથે રહેતો હતો. કૃષ્ણાના મૃત્યુ પછી, મંત્રી બીમા ભારતી અને તેમના પતિ અવધેશ મંડલે પરિવારના સભ્યો સાથે બેસીને તેમના પ્રિય કૂતરાના અંતિમ સંસ્કાર હિંદુ રીતિ-રિવાજ મુજબ કરવાનું નક્કી કર્યું અને તે મુજબ વાંસની નનામી બનાવીને હિંદુ રિવાજ મુજબ ચાર ખભા પર તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી. 

પૂર્વ મંત્રી બીમા ભારતીએ કૃષ્ણાની અંતિમ વિદાયને લઈને એક ઈમોશનલ ફેસબુક પોસ્ટ કરી છે. આ ભાવુક ફેસબુક પોસ્ટમાં પૂર્વ મંત્રી બીમા ભારતીએ લખ્યું કે, આજે અમારા પ્રિય કૃષ્ણા (આપણા પાલતુ કૂતરા) અમને બધાને છોડીને પરલોક સિધાવી ગયો છે. 2004માં, અમારા પતિ અવધેશ મંડલે તેને ખરીદીને લાવ્યા હતા. અને જોત જોતામાં તે થોડા જ સમયમાં અમારા બધા માટે વફાદાર બની ગયો. 

પૂર્વ મંત્રીએ લખ્યું કે, કૃષ્ણા પ્રત્યેની તેમની વફાદારી એવી હતી કે, તેઓ જ્યાં પણ જાય ત્યાં કૃષ્ણા તેમના પરિવાર સાથે જતો. તેણે લખ્યું છે કે, જ્યારે બ્લોક પરિસરમાં અમારા પતિને લઈને ઝઘડો થયો હતો, તે દરમિયાન સામા પક્ષવાળાએ FIRમાં અમારા કૃષ્ણાનું નામ પણ લખાવ્યું હતું. આજે આંખોમાં આંસુ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ કૃષ્ણાને અંતિમ વિદાય આપવામાં આવી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે. 

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.