AAPનો મોટો આરોપ- દિલ્હીને જાણી જોઇને ડુબાડાઈ, BJP જવાબદાર, હથનીકુંડનું પાણી...

દિલ્હીમાં પૂરના પાણી  હજુ તો ઓસર્યા પણ નથી કે દોષારોપણની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણીજોઈને ડુબાડવામાં આવ્યું છે અને હથનીકુંડથી બધું પાણી યમુના નદીમાં છોડવામાં આવ્યું. જેને કારણે દિલ્હી પાણીમાં ડુબી દઇ.

દિલ્હીમાં ભલે યમુનાના જળસ્તર ઘટી રહ્યું હોય, પરંતુ હજુ પણ કેટલાંક વિસ્તારો પૂરને કારણે પાણીમાં ડુબેલા છે. અનેક જગ્યાએ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબુર છે. આ વચ્ચે દિલ્હીમાં આવેલા પૂરને લઇને રાજકારણ શરૂ થયું છે અને આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે.

યમુના પૂરને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણી જોઈને ડુબાડવામાં  આવ્યું અને તેના માટે ભાજપ જવાબદાર છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, દિલ્હીને જાણી જોઈને ડૂબાડી દેવામાં આવી છે. હથિનીકુંડ બેરેજમાંથી વધારાનું પાણી માત્ર દિલ્હી મોકલવામાં આવ્યું હતું. જ્યારે વેસ્ટર્ન કેનાલ માટે પાણી છોડવામાં આવ્યું ન હતું. ભારદ્વાજે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ સહિત દિલ્હીની મહત્ત્વપૂર્ણ સંસ્થાકીય ઇમારતોને ડુબાડી દેવાનું ષડયંત્ર હતું.

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે LGના ખાસ અધિકારીઓ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર તેમના મંત્રી આતિશીનો ફોન ઉપાડતા નથી. તેઓએ કહ્યું કે રાહત શિબિરોની હાલત ખરાબ છે, ત્યાં ભોજન નથી કારણ કે અધિકારીઓ પગલા નથી લઈ રહ્યા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે અધિકારીઓ રાહત શિબિરોનું સંચાલન કરી શકતા નથી તેમણે રાજીનામું આપવું જોઈએ.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને UP પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. દિલ્હીમાં ત્રણ દિવસથી વરસાદ નથી, તો શું છે પૂરનું કારણ, શું છે તેની પાછળનું કારણ. તેનું કારણ છે દિલ્હી પ્રત્યે ભાજપ અને કેન્દ્રની દુર્ભાવના, દિલ્હીને બરબાદ કરવાનું ષડયંત્ર, મોદીજીની દિલ્હી પ્રત્યેની નફરત.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ITO બૈરાજ પર 32માંથી 5 ગેટ બંધ છે. જેને હરિયાણા સરકાર સંભાળે છે. એ બંધ હોવાને કારણે પાણીની નિકાસ આગળ તરફ અવરોધ થઇ રહી છે. નેવી અને આર્મીને સાથે મળીને અમે તેને ખોલવાની કોશિશ કરી રહ્યા છે. આ ગેટ ખુલવાને કારણે પાણીનું વહેણ દિલ્હીથી આગળ તરફ ઝડપથી  વધી શકશે.

એ પહેલાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં તો અત્યારે વરસાદ પડતો નથી, અત્યારે બધું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે. આ આપણું સ્થાનિક પાણી નથી, પરંતુ દિલ્હીમાં આજ સુધી આટલું પાણી સંભાળવાની ક્ષમતા નહોતી. 1978 પછી પહેલીવાર આટલું પાણી આવ્યું છે. આ સમય રાજનીતિનો નથી, એકબીજા પર દોષારોપણ કરવાને બદલે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી છે, આવતીકાલથી દિલ્હીમાં ફરી વરસાદની સંભાવના છે. જો વરસાદ નહીં આવે તો એકાદ-બે દિવસમાં બધું સામાન્ય થઈ જશે, પરંતુ જો વધુ વરસાદ પડે તો સ્થિતિ બદલાશે.

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટી સરકાર સામે નિશાન સાધીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હીમાં પૂર આવ્યું છે. આ સ્થિતિ મારા માટે આશ્ચર્યજનક નથી, કારણ કે દિલ્હીની વર્તમાન સરકારે પાયાના ઇન્ફ્રસ્ટ્રકચરના કામ માટે કોઇ પૈસા ખર્ચ્યા જ નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.